Samadhitantra (Gujarati). Samadhitantra Gathas 1 to 25 Mangalaacharan.

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 199

 

સમાધિતંત્ર
શ્રીમદ્ દેવનન્દી અપરનામ પૂજ્યપાદસ્વામીવિરચિત
સમાધિાતંત્ર
श्रीप्रभाचन्द्रविनिर्मितसंस्कृतटीका
(मंगलाचरण)
सिद्धं जिनेन्द्रमलमप्रतिमप्रबोधम्
निर्वाणमार्गममलं विबुधेन्द्रवन्द्यम्
संसारसागरसमुत्तरणप्रपोतं
वक्ष्ये समाधिशतकं प्रणिपत्य वीरम्
।।

श्रीपूज्यपादस्वामी मुमुक्षूणां मोक्षोपायं मोक्षस्वरूपं चोपदर्शयितुकामो निर्विघ्नतः शास्त्रपरिसमाप्त्यादिकं फलमभिलषन्निष्टदेवताविशेषं नमस्कुर्वन्नाह

મૂળ શ્લોક અને સંસ્કૃત ટીકાનો
ગુજરાતી અનુવાદ
મંગલાચરણ

અર્થઃ સિદ્ધ, અનુપમજ્ઞાનવાન્ (અનંતજ્ઞાની), નિર્વાણમાર્ગરૂપ, નિર્મળ (વીતરાગ), દેવેન્દ્રોથી વંદનીય તથા સંસારસાગરને પાર કરવા માટે ઉત્કૃષ્ટ નાવરૂપએવા વીર જિનેન્દ્ર ભગવાનને પ્રણિપાત કરીને, હું (શ્રીપ્રભાચંદ્ર) સમાધિશતક કહીશ.

શ્રી પૂજ્યપાદસ્વામી (આ સમાધિતંત્રના રચયિતા) મુમુક્ષુઓને મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવવાની કામનાથી તથા નિર્વિઘ્ને શાસ્ત્રની પરિસમાપ્તિઆદિરૂપ ફલની અભિલાષાથી ઇષ્ટદેવતાવિશેષને નમસ્કાર કરીને કહે છેઃ