Samadhitantra (Gujarati). Gatha: 1.

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 199

 

સમાધિતંત્ર

येनात्माऽबुद्धयतात्मैव परत्वेनैव चापरम्
अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मे नमः ।।।।

टीकाअत्र पूर्वार्द्धेन मोक्षोपाय उत्तरार्द्धेन च मोक्षस्वरूपमुपदर्शितम् सिद्धात्मने सिद्धपरमेष्ठिने सिद्धः सकलक र्मविप्रमुक्तः स चासावात्मा च तस्मै नमः येन किं कृतं ? अबुद्ध्यत ज्ञातः कोऽसौ ? आत्मा कथं ? आत्मैव अयमर्थः येन सिद्धात्मनाऽत्रात्मैवाध्यात्मैवा- ध्यात्मत्वेनाबुद्ध्यत न शरीरादिकं कर्मापादितसुरनरनारकतिर्यगादिजीवपर्यायादिकं वा तथा परत्वेनैव चापरम् अपरं च शरीरादिकं कर्मजनितमनुष्यादिजीवपर्यायादिकं वा परत्वेनैवात्मनोभेदेनैवाबुद्ध्यत

શ્લોક ૧

અન્વયાર્થ : (येन) જેનાથી (आत्मा आत्मा एव) આત્મા આત્મા રૂપે જ (अबुध्यत) જણાયો (च) અને (अपरं परत्वेन एव) પર પરરૂપે જ જણાયું (तस्मै) તે (अक्षयानन्तबोधाय) અવિનાશી અનન્ત જ્ઞાનસ્વરૂપ (सिद्धात्मने) સિદ્ધાત્માને (नमः) નમસ્કાર હો!

ટીકા : અહીં પૂર્વાર્ધથી મોક્ષનો ઉપાય અને ઉત્તરાર્ધથી મોક્ષનું સ્વરૂપ દર્શાવ્યું છે.

સિદ્ધાત્માને એટલે સિદ્ધપરમેષ્ઠીનેસિદ્ધ એટલે સર્વ કર્મથી સંપૂર્ણપણે (અત્યંત) મુક્ત એવા આત્માનેનમસ્કાર હો!

જેણે શું કર્યું? જાણ્યો. કોને? આત્માને. કેવી રીતે (જાણ્યો)? આત્મારૂપે જ અર્થ એ છે કે સિદ્ધાત્માએ અહીં આત્માને આત્મારૂપે જ અર્થાત્ અધ્યાત્મરૂપે જ જાણ્યો, તેને શરીરાદિક કે કર્મોપાદિત સુરનરનારકતિર્યંચાદિક જીવપર્યાયાદિકરૂપે ન જાણ્યો તથા (જેણે) અન્યને એટલે શરીરાદિક વા કર્મજનિત મનુષ્યાદિ જીવપર્યાયાદિને પરરૂપે અર્થાત્ આત્માથી ભિન્નરૂપે જ જાણ્યા.

કેવા તેમને (નમસ્કાર)? અક્ષય અનંત બોધવાળાઅક્ષય એટલે અવિનશ્વર અને ૧. અનન્તક્ષેત્રની અંતરહિત અને કાલથી અંતરહિત (જુઓપંચાસ્તિકાય ગાથા ૧ની સં. ટીકા)

(દોહરા)
નમું સિદ્ધ પરમાત્મને, અક્ષય બોધસ્વરૂપ;
જેણે આત્મા આત્મરૂપ, પર જાણ્યું પરરૂપ. ૧.