Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 199

 

સમાધિતંત્ર

तस्मे कथंभूताय ? अक्षयानन्तबोधाय अक्षयोऽविनश्वरोऽनन्तोदेशकालानवच्छिन्न-स्समस्तार्थपरिच्छेदको वा बोधो यस्य तस्मै एवंविधबोधस्य चानन्तदर्शनसुखवर्यैरविनाभावित्व-सामर्थ्यादनंतचतुष्टयरूपायेति’ गम्यते ननु चेष्टदेवताविशेषस्य पञ्चपरमेष्ठिरूपत्वात्तदत्र सिद्धात्मन एव कस्माद् ग्रन्थकृता नमस्कारः कृत इति चेत्, ग्रन्थस्य कर्तुर्व्याख्यातुः श्रोतुरनुष्ठातुश्च सिद्धस्वरूपप्राप्त्यर्थत्वात् यो हि यत्प्राप्त्यर्थी स तं नमस्करोति यथा धनुर्वेदप्राप्त्यर्थी धनुर्वेदविदं नमस्करोति सिद्धस्वरूपप्राप्त्यर्थी च समाधिशतकशास्त्रस्यकर्ता व्याख्याता श्रोता तदर्थानुष्ठाता चात्मविशेषस्तस्मात्सिद्धात्मानं नमस्करोतीति सिद्धशब्देनैव चार्हदादीनामपि ग्रहणम् तेषामपि देशतः सिद्धस्वरूपोपेतत्वात् ।।।। અનંતર એટલે દેશકાલથી અનવચ્છિન્ન એવા સમસ્ત પદાર્થોના પરિચ્છેદક અર્થાત્ જ્ઞાનવાળાતેમને (નમસ્કાર). આવા પ્રકારના જ્ઞાન અનંત દર્શનસુખવીર્ય સાથેના અવિનાભાવીપણાના સામર્થ્યને લીધે તેઓ અનંતચતુષ્ટયરૂપ છે એમ બોધ થાય છે.

શંકાઃ ઇષ્ટદેવતા વિશેષ પંચપરમેષ્ઠી હોવા છતાં અહીં ગ્રન્થકર્તાએ સિદ્ધાત્મને જ કેમ નમસ્કાર કર્યા?

સમાધાનઃ ગ્રન્થકર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને અનુષ્ઠાતાને સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન હોવાથી (તેમણે તેમ કર્યું છે) એ જેની પ્રાપ્તિનો અર્થી હોય તે તેને નમસ્કાર કરે છે; જેમ ધનુર્વિદ્યાપ્રાપ્તિનો અર્થી ધનુર્વેદીને નમસ્કાર કરે છે તેમ. તેથી સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિના અર્થીસમાધિશતક શાસ્ત્રના કર્તા, વ્યાખ્યાતા, શ્રોતા અને તેના અર્થના અનુષ્ઠાતા આત્મવિશેષ(એ સર્વે) સિદ્ધાત્માને નમસ્કાર કરે છે.

‘સિદ્ધ’ શબ્દથી અર્હંતાદિનું પણ ગ્રહણ સમજવું કારણ કે તેમણે પણ દેશતઃ (અંશે) સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. (૧)

ભાવાર્થ : ગ્રન્થકારે શ્લોકના પૂર્વાર્ધમાં સ્વપરનું ભેદવિજ્ઞાન તે જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે એમ સૂચવ્યું છે અને તેના ઉત્તરાર્ધમાં ફળસ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન આનંદરૂપ એવી સિદ્ધદશા તે મોક્ષસ્વરૂપ છે એમ દર્શાવ્યું છે; અર્થાત્ પ્રસ્તુત શ્લોકમાં મોક્ષનો ઉપાય અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે.

જેમણે આત્માને આત્મારૂપે જ યથાર્થ જાણ્યો છે શરીરાદિ અને સુર નરનારકાદિ પર્યાયરૂપે જાણ્યો નથી અને પરને પરરૂપે જાણ્યો છેઅર્થાત્ શરીરાદિ અને નરનારકાદિ પર્યાયને આત્માથી પર જાણ્યા છે, તેવા અવિનાશી અનંતજ્ઞાનસ્વરૂપ સિદ્ધાત્માને અહીં નમસ્કાર કર્યા છે.