Samadhitantra (Gujarati). Gatha: 17.

< Previous Page   Next Page >


Page 26 of 170
PDF/HTML Page 55 of 199

 

સમાધિતંત્ર૩૯

अथात्मो ज्ञप्तावुपायं दर्शयन्नाह

एवं त्यक्त्वा बहिर्वाचं त्यजेदन्तरशेषतः
एष योगः समासेन प्रदीपः परमात्मनः ।।१७।।

टीकाएवं वक्ष्यमाणन्यायेन बहिर्वाचं पुत्रभार्याधनधान्यादिलक्षणान्बहिरर्थ-वाचकशब्दान् त्यक्त्वा अशेषतः साकल्येन पश्चात् अन्तर्वाचं अहं प्रतिपादकः, प्रतिपाद्यः, सुखी, दुःखी, चेतनो वेत्यादिलक्षणमन्तर्जल्पं त्यजेदशेषतः एष बहिरन्तर्जल्पत्यागलक्षणः योगः स्वरूपे चित्तनिरोधलक्षणः समाधिः प्रदीपः स्वरूपप्रकाशकः कस्य ? परमात्मनः कथं ? समासेन संक्षेपेण झटिति परमात्मस्वरूपप्रकाशक इत्यर्थः ।।१७।। છે ત્યારે તેને બાહ્ય ઇન્દ્રિયોના વિષયો વગેરે પદાર્થો ભલાબૂરા લાગતા નથી, ફક્ત તેઓ તેને જ્ઞેયરૂપ ભાસે છે. આ કારણથી અંતરાત્મા પહેલાં બહિરાત્માવસ્થામાં વિષયભોગોને સુખરૂપ માની સેવતો હતો તે હવે ભોગવેલા વિષયોની બાબતમાં વિચાર કરવા લાગે છે કે, ‘અરે! અજ્ઞાનતાથી ઇન્દ્રિયોના વિષયમાં ફસાઈ મેં મારું ચૈતન્યસ્વરૂપ ઓળખ્યું નહિ!’ ૧૬.

હવે આત્માને જાણવાનો ઉપાય બતાવતાં કહે છેઃ

શ્લોક ૧૭

અન્વયાર્થ : (एवं) આગળના શ્લોકમાં કહેવામાં આવતી વિધિ અનુસાર (बहिर्वाचं) બાહ્ય અર્થવાચક વચનપ્રવૃત્તિનો (त्यक्त्वा) ત્યાગ કરીને (अन्तः) અંતરંગ વચનપ્રવૃત્તિને પણ (अशेषतः) સંપૂર્ણપણે (त्यजेत्) તજવી. (एषः)(योगः) યોગ અર્થાત્ સમાધિ (समासेन) (परमात्मनः) પરમાત્મસ્વરૂપનો (प्रदीपः) પ્રકાશક દીવો છે.

ટીકા : એવી રીતે અર્થાત્ આગળ કહેવામાં આવતા ન્યાયથી, બાહ્ય વચનઅર્થાત્ પુત્રસ્ત્રીધન-ધાન્યાદિરૂપ બાહ્યાર્થ વાચક શબ્દોને, અશેષપણે એટલે સંપૂર્ણપણે તજીને, પછી અંતરંગ વચનનેઅર્થાત્ હું પ્રતિપાદક (ગુરુ), હું પ્રતિપાદ્ય (શિષ્ય), સુખી, દુઃખી, ચેતન ઇત્યાદિરૂપ અંતર્જલ્પનો પૂર્ણપણે ત્યાગ કરવો. એ બહિર્જલ્પઅંતર્જલ્પના ત્યાગસ્વરૂપ યોગઅર્થાત્ સ્વરૂપમાં ચિત્તનિરોધલક્ષણ સમાધિપ્રદીપ અર્થાત્ સ્વરૂપપ્રકાશક છે. કોનો? પરમાત્માનો. કેવી રીતે? સમાસથી એટલે સંક્ષેપથી શીઘ્રપણે તે પરમાત્મસ્વરૂપનો પ્રકાશક છે

બહિર્વચનને છોડીને, અંતર્વચ સૌ છોડ;
સંક્ષેપે પરમાત્મનો દ્યોતક છે આ યોગ. ૧૭.