Samadhitantra (Gujarati). Gatha: 16.

< Previous Page   Next Page >


Page 25 of 170
PDF/HTML Page 54 of 199

 

૩૮સમાધિતંત્ર

मत्तश्च्युत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम्
तान् प्रपद्याऽहमिति मा पुरा वेद न तत्त्वतः ।।१६।।

टीकामत्त आत्मस्वरूपात् च्युत्वा व्यावृत्य अहं पतितः अत्यासक्त्या प्रवृत्तः क्व ? विषयेषु कैः कृत्वा ? इन्द्रियद्वारैः इन्द्रियमुखैः ततस्तान् विषयान् प्रपद्य ममोपकारका एते इत्यतिगृह्यानुसृत्य मां आत्मानं न वेद न ज्ञातवान् कथं ? अहमित्युल्लेखेन अहमेवाहं न शरीरादिकमित्येवं तत्त्वतो न ज्ञातवानित्यर्थः कदा ? पुरा पूर्वं अनादिकाले ।।१६।।

શ્લોક ૧૬

અન્વયાર્થ : (अहं) હું (पुरा) અનાદિકાલથી (मत्तः) આત્મસ્વરૂપથી (च्युत्वा) ચ્યુત થઈને (इन्द्रियद्वारेः) ઇન્દ્રિયોદ્વારા (विषयेषु) વિષયોમાં (पतितः) પતિત થયો, (ततः) તેથી (तान्) તે વિષયોને (प्रपद्य) પ્રાપ્ત કરી (तत्त्वतः) વાસ્તવમાં (मां) મનેપોતાને (अहं इति न वेद) હું તે જ છું આત્મા છું એમ મેં ઓળખ્યો નહિ.

ટીકા : મારાથી અર્થાત્ આત્મસ્વરૂપથી ચ્યુત થઈપાછો હઠી, હું પતિત થયો અર્થાત્ અતિ આસક્તિથી પ્રવર્ત્યો. ક્યાં (પ્રવર્ત્યો)? વિષયોમાં. કોના દ્વારા? ઇન્દ્રિયોરૂપ દ્વારોથી ઇન્દ્રિયમુખેથી. પછી તે વિષયોને પ્રાપ્ત કરીને, તે મારા ઉપકારક છે એમ સમજી તેને અતિપણે ગ્રહીઅનુસરી મેં પોતાને આત્માનેઓળખ્યો નહિજાણ્યો નહિ. કેવા પ્રકારે (ન જાણ્યો)? ‘હું’ એવા ઉલ્લેખથી હું જ પોતે (આત્મા) છું, શરીરાદિરૂપ નથી. એમ તત્ત્વતઃ (વાસ્તવમાં) મેં જાણ્યું નહિએવો અર્થ છે. ક્યારે? પૂર્વેઅનાદિકાલે.

ભાવાર્થ : અંતરાત્મા વિચાર કરે છે કે, ‘હું અનાદિકાલથી આત્મસ્વરૂપને ચૂકી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત રહ્યો; તેમાં આત્મબુદ્ધિ કરી મેં મારા આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નહિ.’

જ્યાંસુધી જીવને પોતાના અસલી ચૈતન્યસ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન હોતું નથી, ત્યાંસુધી તે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોને પોતાને સુખદાયકઉપકારક સમજી તેમાં અતિ આસક્તિ રહે છેતેમાં આત્મબુદ્ધિ કરે છે, પણ જ્યારે તેને ચૈતન્ય અને પર જડ પદાર્થોનું ઇન્દ્રિયોના વિષયોનું ભેદવિજ્ઞાન થાય છે અને પોતાનાં નિરાકુલ ચિદાનંદસુધારસનો સ્વાદ આવે

અનાદિચ્યુત નિજરૂપથી, રહ્યો હું વિષયાસક્ત,
ઇન્દ્રિયવિષયો અનુસરી, જાણ્યું નહિ ‘હું’ તત્ત્વ. ૧૬.