Samadhitantra (Gujarati). Gatha: 18.

< Previous Page   Next Page >


Page 28 of 170
PDF/HTML Page 57 of 199

 

સમાધિતંત્ર૪૧
यन्मया दृश्यते रूपं तन्न जानाति सर्वथा
जानन्न दृश्यते रूपं ततः केन ब्रवीम्यहम् ।।१८।।

टीकारूपं शरीरादिरूपं यद् दृश्यते इन्द्रियैः परिच्छिद्यते मया तदचेतनत्वात् उक्तमपि वचनं सर्वथा न जानाति जानता च समं वचनव्यवहारो युक्तो नान्येनातिप्रसङ्गात् यच्च जानद् रूपं चेतनमास्वरूपं तन्न दृश्यते इन्द्रियैर्न परिच्छिद्यते तत एवं ततः केन सह ब्रवीम्यहम् ।।१८।।

શ્લોક ૧૮

અન્વયાર્થ : (मया) મારાવડે (यत् रूपं) જે રૂપશરીરાદિરૂપી પદાર્થ (दृश्यते) દેખાય છે (तत्) તેઅચેતન પદાર્થ (सर्वथा) સર્વથા (न जानाति) કોઈને જાણતો નથી અને (जानत् रूपं) જે જાણવાવાળો ચૈતન્યરૂપ આત્મા છે તે (न दृश्यते) દેખાતો નથી. (ततः) તો (अहं) હું (केन) કોની સાથે (बव्रीमि) બોલુંવાતચીત કરું?

ટીકા : રૂપ એટલે શરીરાદિરૂપ જે દેખાય છે અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા મારાથી જણાય છે, તે અચેતન (જડ) હોવાથી (મારા) બોલેલા વચનને પણ સર્વથા જાણતું નથી; જે જાણતો હોય (સમજતો હોય) તેની સાથે વચનવ્યવહાર યોગ્ય છે; બીજાની સાથે (વચનવ્યવહાર) યોગ્ય નથી કારણ કે અતિ પ્રસંગ આવે છે, અને જે રૂપ અર્થાત્ ચેતનઆત્મસ્વરૂપજાણે છે તે તો ઇન્દ્રિયોદ્વારા દેખાતું નથીજણાતું નથી; જો એમ છે તો હું કોની સાથે બોલું?

ભાવાર્થ : જે શરીરાદિરૂપી પદાર્થો ઇન્દ્રિયોથી દેખાય છે તે અચેતન હોવાથી બોલેલું વચન સર્વથા જાણતા નથીસમજતા નથી અને જેનામાં જાણવાની શક્તિ છે તે ચૈતન્યસ્વરૂપ આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિયોદ્વારા દેખાતો નથી; તેથી અંતરાત્મા વિચારે છે કે ‘કોઈની સાથે બોલવું યા વચનવ્યવહારની પ્રવૃત્તિ કરવી તે નિરર્થક છે, કારણ જે પરનું જાણવાવાળું ચૈતન્યદ્રવ્ય છે તે તો મને દેખાતું નથી અને ઇન્દ્રિયોદ્વારા જે રૂપી શરીરાદિક જડ પદાર્થો દેખાય છે તે ચેતનારહિત હોવાથી કાંઈ પણ જાણતા નથી; તો હું કોની સાથે વાત કરું? કોઈની પણ સાથે વાતચીત કરવાનું બનતું નથી, માટે હવે તો મારે મારા સ્વરૂપમાં રહેવું

जं मया दिस्सदे रूवं तं ण जाणादि सव्वहा
जाणगं दिस्सदे णेव तम्हा जँपेमि केण हं ।।२९।।(मोक्षप्राभृतेश्रीकुन्दकुन्दाचार्यः)
રૂપ મને દેખાય જે, સમજે નહિ કંઈ વાત;
સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ? ૧૮.