કહાનજૈનશાસ્ત્રમાળા ]
શ્લોકાર્થઃ — [अपर-भाव-त्याग-दृष्टान्त-दृष्टिः] આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ, [अनवम् अत्यन्त-वेगात् यावत् वृत्तिम् न अवतरति] જૂની ન થાય એ રીતે અત્યંત વેગથી જ્યાં સુધી પ્રવૃત્તિને પામે નહિ, [तावत्] તે પહેલાં જ [झटिति] તત્કાળ [सकल-भावैः अन्यदीयैः विमुक्ता] સકલ અન્યભાવોથી રહિત [स्वयम् इयम् अनुभूतिः] પોતે જ આ અનુભૂતિ તો [आविर्बभूव] પ્રગટ થઈ ગઈ.
ભાવાર્થઃ — આ પરભાવના ત્યાગનું દ્રષ્ટાંત કહ્યું તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું અનુભવન તો તત્કાળ થઈ ગયું; કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી મમત્વ રહેતું નથી. ૨૯.
હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?’ એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ — મોહકર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ —
✽ગાથાર્થઃ — [बुध्यते] એમ જાણે કે [मोहः मम कः अपि नास्ति] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [एकः उपयोगः एव अहम्] એક ઉપયોગ છે તે જ હું છું’ — [ तं ] એવું જે જાણવું તેને [समयस्य] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [विज्ञायकाः] જાણનારા [मोहनिर्ममत्वं] મોહથી નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ — નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ✽આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ — ‘જરાય મોહ મારો નથી, હું એક છું’ એવું ઉપયોગ