धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत् ।।३३।।
કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે — એ અર્થરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ज्ञानं] જ્ઞાન છે તે [मनो ह्लादयत् ] મનને આનંદરૂપ કરતું [विलसति] પ્રગટ થાય છે. કેવું છે તે? [पार्षदान्] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [जीव- अजीव-विवेक-पुष्कल-दृशा] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે [प्रत्याययत् ] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [आसंसार-निबद्ध-बन्धन-विधि-ध्वंसात्] અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [विशुद्धं] વિશુદ્ધ થયું છે, [स्फु टत् ] સ્ફુટ થયું છે – જેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [आत्म-आरामम्] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [अनन्तधाम] જેનો પ્રકાશ અનંત છે; [अध्यक्षेण महसा नित्य-उदितं] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [धीरोदात्तम्] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ) છે અને તેથી [अनाकुलं] અનાકુળ છે — સર્વ ઇચ્છાઓથી