Samaysar (Gujarati). Jiv-Ajiv Adhikar Kalash: 33.

< Previous Page   Next Page >


Page 86 of 642
PDF/HTML Page 117 of 673

 

-૧-
જીવ-અજીવ અધિકાર
अथ जीवाजीवावेकीभूतौ प्रविशतः
(शार्दूलविक्रीडित)
जीवाजीवविवेकपुष्कलद्रशा प्रत्याययत्पार्षदान्
आसंसारनिबद्धबन्धनविधिध्वंसाद्विशुद्धं स्फु टत्
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो ह्लादयत्
।।३३।।
હવે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યએ બન્ને એક થઈને રંગભૂમિમાં પ્રવેશ કરે છે.
ત્યાં શરૂઆતમાં મંગળના આશયથી (કાવ્ય દ્વારા) આચાર્ય જ્ઞાનનો મહિમા કરે છે

કે સર્વ વસ્તુઓને જાણનારું આ જ્ઞાન છે તે જીવ-અજીવના સર્વ સ્વાંગોને સારી રીતે પિછાણે છે. એવું (સર્વ સ્વાંગોને પિછાણનારું) સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છેએ અર્થરૂપ કાવ્ય કહે છે

શ્લોકાર્થ[ज्ञानं] જ્ઞાન છે તે [मनो ह्लादयत् ] મનને આનંદરૂપ કરતું [विलसति] પ્રગટ થાય છે. કેવું છે તે? [पार्षदान्] જીવ-અજીવના સ્વાંગને જોનારા મહાપુરુષોને [जीव- अजीव-विवेक-पुष्कल-दृशा] જીવ-અજીવનો ભેદ દેખનારી અતિ ઉજ્જ્વળ નિર્દોષ દ્રષ્ટિ વડે [प्रत्याययत् ] ભિન્ન દ્રવ્યની પ્રતીતિ ઉપજાવી રહ્યું છે; [आसंसार-निबद्ध-बन्धन-विधि-ध्वंसात्] અનાદિ સંસારથી જેમનું બંધન દ્રઢ બંધાયું છે એવાં જ્ઞાનાવરણાદિ કર્મોના નાશથી [विशुद्धं] વિશુદ્ધ થયું છે, [स्फु टत् ] સ્ફુટ થયું છેજેમ ફૂલની કળી ખીલે તેમ વિકાસરૂપ છે. વળી તે કેવું છે? [आत्म-आरामम्] જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે; [अनन्तधाम] જેનો પ્રકાશ અનંત છે; [अध्यक्षेण महसा नित्य-उदितं] પ્રત્યક્ષ તેજથી જે નિત્ય ઉદયરૂપ છે. વળી કેવું છે? [धीरोदात्तम्] ધીર છે, ઉદાત્ત (ઉચ્ચ) છે અને તેથી [अनाकुलं] અનાકુળ છેસર્વ ઇચ્છાઓથી