૮૮
ગાથાર્થઃ — [आत्मानम् अजानन्तः] આત્માને નહિ જાણતા થકા [परात्मवादिनः] પરને આત્મા કહેનારા [केचित् मूढाः तु] કોઈ મૂઢ, મોહી, અજ્ઞાનીઓ તો [अध्यवसानं] અધ્યવસાનને [तथा च] અને કોઈ [कर्म] કર્મને [जीवम् प्ररूपयन्ति] જીવ કહે છે. [अपरे] બીજા કોઈ [अध्यवसानेषु] અધ્યવસાનોમાં [तीव्रमन्दानुभागगं] તીવ્રમંદ અનુભાગગતને [जीवं मन्यन्ते] જીવ માને છે [तथा] અને [अपरे] બીજા કોઈ [नोकर्म अपि च] નોકર્મને [जीवः इति] જીવ માને છે. [अपरे] અન્ય કોઈ [कर्मणः उदयं] કર્મના ઉદયને [जीवम्] જીવ માને છે, કોઈ ‘[यः] જે [तीव्रत्वमन्दत्वगुणाभ्यां] તીવ્રમંદપણારૂપ ગુણોથી ભેદને પ્રાપ્ત થાય છે [सः] તે [जीवः भवति] જીવ છે’ એમ [कर्मानुभागम्] કર્મના અનુભાગને [इच्छन्ति] જીવ ઇચ્છે છે ( – માને છે). [केचित्] કોઈ [जीवकर्मोभयं] જીવ અને કર્મ [द्वे अपि खलु] બન્ને મળેલાંને જ [जीवम् इच्छन्ति] જીવ માને છે [तु] અને [अपरे] અન્ય કોઈ [कर्मणां संयोगेन] કર્મના સંયોગથી જ [जीवम् इच्छन्ति] જીવ માને છે. [एवंविधाः] આ પ્રકારના તથા [बहुविधाः] અન્ય પણ ઘણા પ્રકારના [दुर्मेधसः] દુર્બુદ્ધિઓ – મિથ્યાદ્રષ્ટિઓ [परम्] પરને [आत्मानं] આત્મા [वदन्ति] કહે છે. [ते]