કહાનજૈનશાસ્ત્રમાળા ]
પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [अवगाह्य] અવગાહન કરીને, [आत्मा] ભવ્ય આત્મા [विश्वस्य उपरि] સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર [चारु चरन्तं] સુંદર રીતે પ્રવર્તતા એવા [इमम्] આ [परम्] એક કેવળ [अनन्तम्] અવિનાશી [आत्मानम्] આત્માનો [आत्मनि] આત્મામાં જ [साक्षात् कलयतु] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થઃ — આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની (છ) ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ –
શ્લોકાર્થઃ — [चित्-शक्ति-व्याप्त-सर्वस्व-सारः] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર છે એવો [अयम् जीवः] આ જીવ [इयान्] એટલો જ માત્ર છે; [अतः अतिरिक्ताः] આ ચિત્શક્તિથી શૂન્ય [अमी भावाः] જે આ ભાવો છે [सर्वे अपि] તે બધાય [पौद्गलिकाः] પુદ્ગલજન્ય છે — પુદ્ગલના જ છે. ૩૬.
એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છેઃ —