Samaysar (Gujarati). Kalash: 36 Gatha: 50-51.

< Previous Page   Next Page >


Page 103 of 642
PDF/HTML Page 134 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ-અજીવ અધિકાર
૧૦૩
(अनुष्टुभ्)
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम्
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ।।३६।।
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो
ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।।५०।।
जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो
णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि ।।५१।।

પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [अवगाह्य] અવગાહન કરીને, [आत्मा] ભવ્ય આત્મા [विश्वस्य उपरि] સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર [चारु चरन्तं] સુંદર રીતે પ્રવર્તતા એવા [इमम्] [परम्] એક કેવળ [अनन्तम्] અવિનાશી [आत्मानम्] આત્માનો [आत्मनि] આત્મામાં જ [साक्षात् कलयतु] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.

ભાવાર્થઆ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે; તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.

હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની (છ) ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ

શ્લોકાર્થ[चित्-शक्ति-व्याप्त-सर्वस्व-सारः] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર છે એવો [अयम् जीवः] આ જીવ [इयान्] એટલો જ માત્ર છે; [अतः अतिरिक्ताः] ચિત્શક્તિથી શૂન્ય [अमी भावाः] જે આ ભાવો છે [सर्वे अपि] તે બધાય [पौद्गलिकाः] પુદ્ગલજન્ય છેપુદ્ગલના જ છે. ૩૬.

એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છે

નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,
નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં; ૫૦.
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં,
નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧.