કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम् ।
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ।।४८।।
શ્લોકાર્થઃ — [ इति एवं ] એ રીતે પૂર્વકથિત વિધાનથી, [ सम्प्रति ] હમણાં જ (તુરત જ) [ परद्रव्यात् ] પરદ્રવ્યથી [ परां निवृत्तिं विरचय्य ] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને [ विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिघ्नुवानः ] વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિક્યભાવથી સ્થિર કરતો), [ अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशात् ] અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી [ निवृत्तः ] નિવૃત્ત થયેલો, [ स्वयं ज्ञानीभूतः ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [ जगतः साक्षी ] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા), [ पुराणः पुमान् ] પુરાણ પુરુષ (આત્મા) [ इतः चकास्ति ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮.
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન (લક્ષણ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — [ यः ] જે [ आत्मा ] આત્મા [ एनम् ] આ [ कर्मणः परिणामं च ] કર્મના પરિણામને [ तथा एव च ] તેમ જ [ नोकर्मणः परिणामं ] નોકર્મના પરિણામને [ न करोति ] કરતો નથી પરંતુ [ जानाति ] જાણે છે [ सः ] તે [ ज्ञानी ] જ્ઞાની [ भवति ] છે.