Samaysar (Gujarati). Gatha: 90.

< Previous Page   Next Page >


Page 164 of 642
PDF/HTML Page 195 of 673

 

૧૬૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

स्फ टिकस्वच्छताया इव परतोऽपि प्रभवन् दृष्टः यथा हि स्फ टिकस्वच्छतायाः स्वरूप- परिणामसमर्थत्वे सति कदाचिन्नीलहरितपीततमालकदलीकाञ्चनपात्रोपाश्रययुक्तत्वान्नीलो हरितः पीत इति त्रिविधः परिणामविकारो दृष्टः, तथोपयोगस्यानादिमिथ्यादर्शनाज्ञानाविरतिस्वभाव- वस्त्वन्तरभूतमोहयुक्तत्वान्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः

अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति
एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ।।९०।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः
यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता ।।९०।।

વિકારની જેમ, પરને લીધે (પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેજેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્જ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય- વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.

ભાવાર્થઆત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે. એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ. પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.

હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છે

એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.

ગાથાર્થ[ एतेषु च ] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી,