કહાનજૈનશાસ્ત્રમાળા ]
इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिच्चिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः, स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्त- स्मिन्नेव वर्तेत, न पुनः द्रव्यान्तरं गुणान्तरं वा सङ्क्रामेत । द्रव्यान्तरं गुणान्तरं वाऽसङ्क्रामंश्च कथं त्वन्यं वस्तुविशेषं परिणामयेत् ? अतः परभावः केनापि न कर्तुं पार्येत ।
પરભાવને કોઈ (દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ यः ] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય) [ यस्मिन् द्रव्ये ] જે દ્રવ્યમાં અને [ गुणे ] ગુણમાં વર્તે છે [ सः ] તે [ अन्यस्मिन् तु ] અન્ય [ द्रव्ये ] દ્રવ્યમાં તથા ગુણમાં [ न सङ्क्रामति ] સંક્રમણ પામતી નથી ( અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી); [ अन्यत् असङ्क्रान्तः ] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [ सः ] તે (વસ્તુ), [ तत् द्रव्यम् ] અન્ય વસ્તુને [ कथं ] કેમ [ परिणामयति ] પરિણમાવી શકે?
ટીકાઃ — જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છે તે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંક્રમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? (કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ.
ભાવાર્થઃ — જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા છે.