કહાનજૈનશાસ્ત્રમાળા ]
ગાથાર્થઃ — [इदम् पुद्गलद्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [जीवे] જીવમાં [स्वयं] સ્વયં [बद्धं न] બંધાયું નથી અને [कर्मभावेन] કર્મભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતું નથી [यदि] એમ જો માનવામાં આવે [तदा] તો તે [अपरिणामी] અપરિણામી [भवति] ઠરે છે; [च] અને [कार्मणवर्गणासु] કાર્મણવર્ગણાઓ [कर्मभावेन] કર્મભાવે [अपरिणममानासु] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.
વળી [जीवः] જીવ [पुद्गलद्रव्याणि] પુદ્ગલદ્રવ્યોને [कर्मभावेन] કર્મભાવે [परिणामयति] પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानानि] સ્વયં નહિ પરિણમતી એવી [तानि] તે વર્ગણાઓને [चेतयिता] ચેતન આત્મા [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [स्वयमेव हि] પોતાની મેળે જ [कर्मभावेन] કર્મભાવે [परिणमते] પરિણમે છે એમ માનવામાં આવે, તો [जीवः] જીવ [कर्म] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [कर्मत्वम्] કર્મપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.
[नियमात्] માટે જેમ નિયમથી [कर्मपरिणतं] *કર્મરૂપે પરિણમેલું [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [कर्म चैव] કર્મ જ [भवति] છે [तथा] તેવી રીતે [ज्ञानावरणादिपरिणतं] જ્ઞાનાવરણાદિ- રૂપે પરિણમેલું [तत्] પુદ્ગલદ્રવ્ય [तत् च एव] જ્ઞાનાવરણાદિ જ [जानीत] જાણો. * કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે — માટીનું કર્મ ઘડો.