કહાનજૈનશાસ્ત્રમાળા ]
जीवपुद्गलकर्मणोरेकबन्धपर्यायत्वेन तदात्वे व्यतिरेकाभावाज्जीवे बद्धस्पृष्टं कर्मेति व्यवहार- नयपक्षः । जीवपुद्गलकर्मणोरनेकद्रव्यत्वेनात्यन्तव्यतिरेकाज्जीवेऽबद्धस्पृष्टं कर्मेति निश्चयनयपक्षः ।
ततः किम् —
ગાથાર્થઃ — [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ बद्धं ] (તેના પ્રદેશો સાથે) બંધાયેલું છે [ च ] તથા [ स्पृष्टं ] સ્પર્શાયેલું છે [ इति ] એવું [ व्यवहारनयभणितम् ] વ્યવહારનયનું કથન છે [ तु ] અને [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ अबद्धस्पृष्टं ] અણબંધાયેલું, અણસ્પર્શાયેલું [ भवति ] છે એવું [ शुद्धनयस्य ] શુદ્ધનયનું કથન છે.
ટીકાઃ — જીવના અને પુદ્ગલકર્મના એકબંધપર્યાયપણાથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહારનયનો પક્ષ છે. જીવના અને પુદ્ગલકર્મના અનેકદ્રવ્યપણાથી જોતાં તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.
પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, — એમ હવે ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [ जीवे ] જીવમાં [ कर्म ] કર્મ [ बद्धम् ] બદ્ધ છે અથવા [ अबद्धं ] અબદ્ધ છે — [ एवं तु ] એ પ્રકારે તો [ नयपक्षम् ] નયપક્ષ [ जानीहि ] જાણ; [ पुनः ] પણ [ यः ] જે [ पक्षातिक्रान्तः ] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો) [ भण्यते ] કહેવાય છે [ सः ] તે [ समयसारः ] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.