૨૨૮
भावभावपरमार्थतयैकम् ।
चेतये समयसारमपारम् ।।९२।।
ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.
શ્લોકાર્થઃ — [ चित्स्वभाव-भर-भावित-भाव-अभाव-भाव-परमार्थतया एकम् ] ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે ( – કરાય છે) — એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [ अपारम् समयसारम् ] અપાર સમયસારને હું, [ समस्तां बन्धपद्धतिम् ] સમસ્ત બંધપદ્ધતિને [ अपास्य ] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [ चेतये ] અનુભવું છું.
ભાવાર્થઃ — નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે, ‘હું અનુભવું છું’ એવો પણ વિકલ્પ હોતો નથી — એમ જાણવું. ૯૨.
પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે — એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [ यः ] જે [ सर्वनयपक्षरहितः ] સર્વ નયપક્ષોથી રહિત [ भणितः ] કહેવામાં