Samaysar (Gujarati). Punya-Pap Adhikar Kalash: 100.

< Previous Page   Next Page >


Page 235 of 642
PDF/HTML Page 266 of 673

 

-૩-
પુણ્ય-પાપ અધિકાર
अथैकमेव कर्म द्विपात्रीभूय पुण्यपापरूपेण प्रविशति
(द्रुतविलम्बित)
तदथ कर्म शुभाशुभभेदतो
द्वितयतां गतमैक्यमुपानयन्
ग्लपितनिर्भरमोहरजा अयं
स्वयमुदेत्यवबोधसुधाप्लवः
।।१००।।
પુણ્ય-પાપ બન્ને કરમ, બંધરૂપ ર્દુ માની;
શુદ્ધાત્મા જેણે લહ્યો, નમું ચરણ હિત જાણી.

પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈને પુણ્ય-પાપરૂપે પ્રવેશ કરે છે’.

જેમ નૃત્યના અખાડામાં એક જ પુરુષ પોતાને બે રૂપે બતાવી નાચતો હોય તેને યથાર્થ જાણનાર ઓળખી લે છે અને એક જ જાણે છે, તેવી રીતે જોકે કર્મ એક જ છે તોપણ પુણ્ય-પાપના ભેદે બે પ્રકારનાં રૂપ કરી નાચે છે તેને, સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ છે તે એકરૂપ જાણી લે છે. તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ अथ ] હવે (કર્તાકર્મ અધિકાર પછી), [ शुभ-अशुभ-भेदतः ] શુભ અને અશુભના ભેદને લીધે [ द्वितयतां गतम् तत् कर्म ] બે-પણાને પામેલા તે કર્મને [ ऐक्यम् उपानयन् ] એકરૂપ કરતો, [ ग्लपित-निर्भर-मोहरजा ] જેણે અત્યંત મોહરજને દૂર કરી છે એવો [ अयं अवबोध-सुधाप्लवः ] આ (પ્રત્યક્ષઅનુભવગોચર) જ્ઞાન-સુધાંશુ (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રમા) [ स्वयम् ] સ્વયં [ उदेति ] ઉદય પામે છે.