Samaysar (Gujarati). Kalash: 101 Gatha: 145.

< Previous Page   Next Page >


Page 236 of 642
PDF/HTML Page 267 of 673

 

૨૩૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मन्दाक्रान्ता)
एको दूरात्त्यजति मदिरां ब्राह्मणत्वाभिमाना-
दन्यः शूद्रः स्वयमहमिति स्नाति नित्यं तयैव
द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः
शूद्रौ साक्षादपि च चरतो जातिभेदभ्रमेण
।।१०१।।
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं
कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ।।१४५।।

ભાવાર્થઃઅજ્ઞાનથી એક જ કર્મ બે પ્રકારનું દેખાતું હતું તેને જ્ઞાને એક પ્રકારનું બતાવ્યું. જ્ઞાનમાં મોહરૂપી રજ લાગી રહી હતી તે દૂર કરવામાં આવી ત્યારે યથાર્થ જ્ઞાન થયું; જેમ ચંદ્રને વાદળાં તથા ધુમ્મસનું પટલ આડું આવે ત્યારે યથાર્થ પ્રકાશ થતો નથી પરંતુ આવરણ દૂર થતાં ચંદ્ર યથાર્થ પ્રકાશે છે, તેવી રીતે અહીં પણ જાણવું. ૧૦૦.

હવે પુણ્ય-પાપના સ્વરૂપના દ્રષ્ટાંતરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ(શૂદ્રાણીના એકીસાથે જન્મેલા બે પુત્રોમાંથી એક બ્રાહ્મણને ત્યાં ઊછર્યો અને બીજો શૂદ્રના ઘેર જ રહ્યો.) [ एकः ] એક તો [ ब्राह्मणत्व-अभिमानात् ] ‘હું બ્રાહ્મણ છું’ એમ બ્રાહ્મણત્વના અભિમાનને લીધે [ मदिरां ] મદિરાને [ दूरात् ] દૂરથી જ [ त्यजति ] છોડે છે અર્થાત્ સ્પર્શતો પણ નથી; [ अन्यः ] બીજો [ अहम् स्वयम् शूद्रः इति ] ‘હું પોતે શૂદ્ર છું’ એમ માનીને [ तया एव ] મદિરાથી જ [ नित्यं ] નિત્ય [ स्नाति ] સ્નાન કરે છે અર્થાત્ તેને પવિત્ર ગણે છે. [ एतौ द्वौ अपि ] આ બન્ને પુત્રો [ शूद्रिकायाः उदरात् युगपत् निर्गतौ ] શૂદ્રાણીના ઉદરથી એકીસાથે જન્મ્યા છે તેથી [ साक्षात् शूद्रौ ] (પરમાર્થે) બન્ને સાક્ષાત્ શૂદ્ર છે, [ अपि च ] તોપણ [ जातिभेद- भ्रमेण ] જાતિભેદના ભ્રમ સહિત [ चरतः ] તેઓ પ્રવર્તે છેઆચરણ કરે છે. (આ પ્રમાણે પુણ્ય- પાપનું પણ જાણવું.)

ભાવાર્થઃપુણ્ય-પાપ બન્ને વિભાવપરિણતિથી ઊપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. વ્યવહારદ્રષ્ટિએ ભ્રમને લીધે તેમની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબએમ બે પ્રકારે તેઓ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે. ૧૦૧.

હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છેઃ

છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને!
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે? ૧૪૫.