કહાનજૈનશાસ્ત્રમાળા ]
सदाप्यभेदान्न हि कर्मभेदः ।
स्वयं समस्तं खलु बन्धहेतुः ।।१०२।।
શ્લોકાર્થઃ — [ हेतु-स्वभाव-अनुभव-आश्रयाणां ] હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય — એ ચારનો (અર્થાત્ એ ચાર પ્રકારે) [ सदा अपि ] સદાય [ अभेदात् ] અભેદ હોવાથી [ न हि कर्मभेदः ] કર્મમાં નિશ્ચયથી ભેદ નથી; [ तद् समस्तं स्वयं ] માટે સમસ્ત કર્મ પોતે [ खलु ] નિશ્ચયથી [ बन्धमार्ग-आश्रितम् ] બંધમાર્ગને આશ્રિત હોવાથી અને [ बन्धहेतुः ] બંધનું કારણ હોવાથી, [ एकम् इष्टं ] કર્મ એક જ માનવામાં આવ્યું છે — એક જ માનવું યોગ્ય છે. ૧૦૨.
હવે, (શુભ-અશુભ) બન્ને કર્મો અવિશેષપણે (કાંઈ તફાવત વિના) બંધનાં કારણ છે એમ સિદ્ધ કરે છેઃ —
ગાથાર્થઃ — [ यथा ] જેમ [ सौवर्णिकम् ] સુવર્ણની [ निगलं ] બેડી [ अपि ] પણ [ पुरुषम् ] પુરુષને [ बध्नाति ] બાંધે છે અને [ कालायसम् ] લોખંડની [ अपि ] પણ બાંધે છે, [ एवं ] તેવી રીતે [ शुभम् वा अशुभम् ] શુભ તેમ જ અશુભ [ कृतं कर्म ] કરેલું કર્મ [ जीवं ] જીવને [ बध्नाति ] (અવિશેષપણે) બાંધે છે.
ટીકાઃ — જેમ સુવર્ણની અને લોખંડની બેડી કાંઈ પણ તફાવત વિના પુરુષને બાંધે છે