કહાનજૈનશાસ્ત્રમાળા ]
ગાથાર્થઃ — [ तेषां ] તેમના (પૂર્વે કહેલા રાગદ્વેષમોહરૂપ આસ્રવોના) [ हेतवः ] હેતુઓ [ सर्वदर्शिभिः ] સર્વદર્શીઓએ [ मिथ्यात्वम् ] મિથ્યાત્વ, [ अज्ञानम् ] અજ્ઞાન, [ अविरतभावः च ] અવિરતભાવ [ योगः च ] અને યોગ — [ अध्यवसानानि ] એ (ચાર) અધ્યવસાન [ भणिताः ] કહ્યા છે. [ ज्ञानिनः ] જ્ઞાનીને [ हेत्वभावे ] હેતુઓના અભાવે [ नियमात् ] નિયમથી [ आस्रवनिरोधः ] આસ્રવનો નિરોધ [ जायते ] થાય છે, [ आस्रवभावेन विना ] આસ્રવભાવ વિના [ कर्मणः अपि ] કર્મનો પણ [ निरोधः ] નિરોધ [ जायते ] થાય છે, [ च ] વળી [ कर्मणः अभावेन ] કર્મના અભાવથી [ नोकर्मणाम् अपि ] નોકર્મોનો પણ [ निरोधः ] નિરોધ [ जायते ] થાય છે, [ च ] અને [ नोकर्मनिरोधेन ] નોકર્મના નિરોધથી [ संसारनिरोधनं ] સંસારનો નિરોધ [ भवति ] થાય છે.