Samaysar (Gujarati). Kalash: 128 Gatha: 190.

< Previous Page   Next Page >


Page 296 of 642
PDF/HTML Page 327 of 673

 

૨૯૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

विमुक्तमात्मानमवाप्नोति एष संवरप्रकारः

(मालिनी)
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या
भवति नियतमेषां शुद्धतत्त्वोपलम्भः
अचलितमखिलान्यद्रव्यदूरेस्थितानां
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः
।।१२८।।
केन क्रमेण संवरो भवतीति चेत्
तेसिं हेदू भणिदा अज्झवसाणाणि सव्वदरिसीहिं
मिच्छत्तं अण्णाणं अविरयभावो य जोगो य ।।१९०।।

પરદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર (રીત) છે.

ભાવાર્થઃજે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ भेदविज्ञानशक्त्या निजमहिमरतानां एषां ] જેઓ ભેદવિજ્ઞાનની શક્તિ વડે નિજ (સ્વરૂપના) મહિમામાં લીન રહે છે તેમને [ नियतम् ] નિયમથી (ચોક્કસ) [ शुद्धतत्त्वोपलम्भः ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ [ भवति ] થાય છે; [ तस्मिन् सति च ] શુદ્ધ તત્ત્વની ઉપલબ્ધિ થતાં, [ अचलितम् अखिल-अन्यद्रव्य-दूरे-स्थितानां ] અચલિતપણે સમસ્ત અન્યદ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને, [ अक्षयः कर्ममोक्षः भवति ] અક્ષય કર્મમોક્ષ થાય છે (અર્થાત્ ફરીને કદી કર્મબંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે). ૧૨૮.

હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે? તેનો ઉત્તર કહે છેઃ

રાગાદિના હેતુ કહે સર્વજ્ઞ અધ્યવસાનને,
મિથ્યાત્વ ને અજ્ઞાન, અવિરતભાવ તેમ જ યોગને. ૧૯૦.