Samaysar (Gujarati). Kalash: 137.

< Previous Page   Next Page >


Page 313 of 642
PDF/HTML Page 344 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

નિર્જરા અધિકાર
૩૧૩
(मन्दाक्रान्ता)
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बन्धो न मे स्या-
दित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु

‘‘જે જીવ પરદ્રવ્યમાં આસક્તરાગી છે અને સમ્યગ્દ્રષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે’’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ

શ્લોકાર્થઃ‘‘[ अयम् अहं स्वयम् सम्यग्दृष्टिः, मे जातुः बन्धः न स्यात् ] આ હું પોતે સમ્યગ્દ્રષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દ્રષ્ટિને બંધ કહ્યો નથી)’’ [ इति ] એમ માનીને [ उत्तान-उत्पुलक-वदनाः ] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત (રોમાંચિત) થયું છે એવા [ रागिणः ] રાગી જીવો (પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો) [ अपि ] ભલે [ आचरन्तु ] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [ समितिपरतां आलम्बन्तां ] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ अद्य अपि ] તોપણ હજુ [ ते पापाः ] તેઓ પાપી (મિથ્યાદ્રષ્ટિ) જ છે, [ यतः ] કારણ કે [ आत्म-अनात्म-अवगम-विरहात् ] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ सम्यक्त्व-रिक्ताः सन्ति ] તેઓ સમ્યક્ત્વથી રહિત છે.

ભાવાર્થઃપરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ ‘હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી’ એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાની નિંદા-ગર્હા કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધોપયોગરૂપચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, ‘બંધ થતો નથી’ એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.

અહીં કોઈ પૂછે કે ‘‘વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?’’ તેનું સમાધાનઃસિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી. * સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે

40