૩૨૨
कृत्स्नकर्माभावात् साक्षान्मोक्षो भवति ।
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव ।
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।।१४१।।
किञ्च — થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાત્મ્ય છે.)
ભાવાર્થઃ — કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ निष्पीत-अखिल-भाव-मण्डल-रस-प्राग्भार-मत्ताः इव ] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ यस्य इमाः अच्छ-अच्छाः संवेदनव्यक्तयः ] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ ( – જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [ यद् स्वयम् उच्छलन्ति ] આપોઆપ ઊછળે છે, [ सः एषः भगवान् अद्भुतनिधिः चैतन्यरत्नाकरः ] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ अभिन्नरसः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [ एकः अपि अनेकीभवन् ] એક હોવા છતાં અનેક થતો, [ उत्कलिकाभिः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ वल्गति ] દોલાયમાન થાય છે — ઊછળે છે.
ભાવાર્થઃ — જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો – વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.
હવે વળી વિશેષ કહે છેઃ —