Samaysar (Gujarati). Kalash: 141.

< Previous Page   Next Page >


Page 322 of 642
PDF/HTML Page 353 of 673

 

૩૨૨

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

कृत्स्नकर्माभावात् साक्षान्मोक्षो भवति

(शार्दूलविक्रीडित)
अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो
निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव
यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः
।।१४१।।

किञ्च થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાત્મ્ય છે.)

ભાવાર્થઃકર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ निष्पीत-अखिल-भाव-मण्डल-रस-प्राग्भार-मत्ताः इव ] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ यस्य इमाः अच्छ-अच्छाः संवेदनव्यक्तयः ] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) [ यद् स्वयम् उच्छलन्ति ] આપોઆપ ઊછળે છે, [ सः एषः भगवान् अद्भुतनिधिः चैतन्यरत्नाकरः ] તે આ ભગવાન અદ્ભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ अभिन्नरसः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [ एकः अपि अनेकीभवन् ] એક હોવા છતાં અનેક થતો, [ उत्कलिकाभिः ] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ वल्गति ] દોલાયમાન થાય છેઊછળે છે.

ભાવાર્થઃજેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.

હવે વળી વિશેષ કહે છેઃ