કહાનજૈનશાસ્ત્રમાળા ]
न मुच्यते; सरागवीतरागयोः स्वपरिणामयोः सद्भावात्तस्याध्यवसायस्याभावेऽपि बध्यते, मुच्यते च । ततः परत्राकिञ्चित्करत्वान्नेदमध्यवसानं स्वार्थक्रियाकारि; ततश्च मिथ्यैवेति भावः ।
પોતાના સરાગ-વીતરાગ પરિણામના સદ્ભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્કર હોવાથી (અર્થાત્ કાંઈ નહિ કરી શકતું હોવાથી ) આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે. — આવો ભાવ (આશય) છે.
ભાવાર્થઃ — જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવા-છોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી; કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તોપણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अनेन निष्फलेन अध्यवसायेन मोहितः] આ નિષ્ફળ (નિરર્થક) અધ્યવસાયથી મોહિત થયો થકો [आत्मा] આત્મા [तत् किञ्चन अपि न एव अस्ति यत् आत्मानं न करोति] પોતાને સર્વરૂપ કરે છે, — એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય.
ભાવાર્થઃ — આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે; પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો. ૧૭૧.
હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છેઃ —