૪૬૪
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः ।
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।१९७।।
શ્લોકાર્થઃ — [अज्ञानी प्रकृति-स्वभाव-निरतः नित्यं वेदकः भवेत्] અજ્ઞાની પ્રકૃતિ- સ્વભાવમાં લીન – રક્ત હોવાથી ( – તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી – ) સદા વેદક છે, [तु] અને [ज्ञानी प्रकृति-स्वभाव-विरतः जातुचित् वेदकः नो] જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ પામેલો – વિરક્ત હોવાથી ( – તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી – ) કદાપિ વેદક નથી. [इति एवं नियमं निरूप्य] આવો નિયમ બરાબર વિચારીને — નક્કી કરીને [निपुणैः अज्ञानिता त्यज्यताम् ] નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને [शुद्ध-एक-आत्ममये महसि] શુદ્ધ-એક- આત્મામય તેજમાં [अचलितैः] નિશ્ચળ થઈને [ज्ञानिता आसेव्यताम्] જ્ઞાનીપણાને સેવો. ૧૯૭.
હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ ‘અજ્ઞાની ભોક્તા જ છે’ એવો નિયમ છે — એમ કહે છે)ઃ —
ગાથાર્થઃ — [सुष्ठु] સારી રીતે [शास्त्राणि] શાસ્ત્રો [अधीत्य अपि] ભણીને પણ [अभव्यः] અભવ્ય [प्रकृतिम् ] પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) [न मुञ्चति] છોડતો નથી, [गुडदुग्धम्] જેમ સાકરવાળું દૂધ [पिबन्तः अपि] પીતાં છતાં [पन्नगाः] સર્પો [निर्विषाः] નિર્વિષ [न भवन्ति] થતા નથી.
ટીકાઃ — જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવ