Samaysar (Gujarati). Gatha: 318.

< Previous Page   Next Page >


Page 465 of 642
PDF/HTML Page 496 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૬૫

मुञ्चति; तथा किलाभव्यः प्रकृतिस्वभावं स्वयमेव न मुञ्चति, प्रकृतिस्वभावमोचन- समर्थद्रव्यश्रुतज्ञानाच्च न मुञ्चति, नित्यमेव भावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानाभावेनाज्ञानित्वात् अतो नियम्यतेऽज्ञानी प्रकृतिस्वभावे स्थितत्वाद्वेदक एव

ज्ञानी त्ववेदक एवेति नियम्यते
णिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि
महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ ।।३१८।।
निर्वेदसमापन्नो ज्ञानी कर्मफलं विजानाति
मधुरं कटुकं बहुविधमवेदकस्तेन स भवति ।।३१८।।

છોડાવવાને (મટાડવાને) સમર્થ એવા સાકરસહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિસ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિસ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી; કારણ કે તેને સદાય, ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનના (શુદ્ધ આત્માના જ્ઞાનના) અભાવને લીધે, અજ્ઞાનીપણું છે. આથી એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ એવો નિયમ ઠરે છે) કે અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે (કર્મનો ભોક્તા જ છે).

ભાવાર્થઃઆ ગાથામાં, અજ્ઞાની કર્મના ફળનો ભોક્તા જ છેએવો નિયમ કહ્યો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે. અભવ્યનો એવો સ્વયમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે, કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી; માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત્ અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોક્તા જ છે.

હવે જ્ઞાની તો કર્મફળનો અવેદક જ છેએવો નિયમ કરવામાં આવે છેઃ

નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો,
કડવા મધુર બહુવિધને, તેથી અવેદક છે અહો! ૩૧૮.

ગાથાર્થઃ[निर्वेदसमापन्नः] નિર્વેદપ્રાપ્ત (વૈરાગ્યને પામેલો) [ज्ञानी] જ્ઞાની [मधुरम् कटुकम्] મીઠા-કડવા [बहुविधम्] બહુવિધ [कर्मफलम्] કર્મફળને [विजानाति] જાણે છે [तेन] તેથી [सः] તે [अवेदकः भवति] અવેદક છે.

59