૪૬૮
यथात्र लोके द्रष्टिर्दश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् द्रश्यं न करोति न वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्वं केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं द्रष्टृत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च, किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति ।
ગાથાર્થઃ — [यथा एव द्रष्टिः] જેમ નેત્ર (દ્રશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ છે), [तथा] તેમ [ज्ञानम्] જ્ઞાન [अकारकं] અકારક [अवेदकं च एव] તથા અવેદક છે, [च] અને [बन्धमोक्षं] બંધ, મોક્ષ, [कर्मोदयं] કર્મોદય [निर्जरां च एव] તથા નિર્જરાને [जानाति] જાણે જ છે.
ટીકાઃ — જેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, દશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથી — જો એમ ન હોય તો અગ્નિને દેખવાથી, *સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું (સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર થાય (અર્થાત્ જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું - વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું-વેદતું નથી) — પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું ) હોવાથી કર્મના બંધને તથા મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.
ભાવાર્થઃ — જ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવું - ભોગવવું જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે — ‘‘એવું તો કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખરાગાદિરૂપે પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયનો ઉદય * સંધુક્ષણ = સંધૂકણ; અગ્નિ સળગાવનાર પદાર્થ; અગ્નિ ચેતાવનારી વસ્તુ.