કહાનજૈનશાસ્ત્રમાળા ]
कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता ।
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते ।।२०४।।
શ્લોકાર્થઃ — [कैश्चित् हतकैः] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [कर्म एव कर्तृ प्रवितर्क्य] કર્મને જ કર્તા વિચારીને [आत्मनः कर्तृतां क्षिप्त्वा] આત્માના કર્તાપણાને ઉડાડીને, ‘[एषः आत्मा कथञ्चित् क र्ता] આ આત્મા કથંચિત્ કર્તા છે’ [इति अचलिता श्रुतिः कोपिता] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે ( – નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે); [उद्धत-मोह-मुद्रित-धियां तेषाम् बोधस्य संशुद्धये] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [वस्तुस्थितिः स्तूयते] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે — [स्याद्वाद-प्रतिबन्ध-लब्ध-विजया] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).
ભાવાર્થઃ — કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્યભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.
‘આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે’ એવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ —