૪૮૪
कर्मैवात्मानमज्ञानिनं करोति, ज्ञानावरणाख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैव ज्ञानिनं
करोति, ज्ञानावरणाख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः । कर्मैव स्वापयति, निद्राख्यकर्मोदय-
मन्तरेण तदनुपपत्तेः । कर्मैव जागरयति, निद्राख्यकर्मक्षयोपशममन्तरेण तदनुपपत्तेः । कर्मैव
सुखयति, सद्वेद्याख्यकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैव दुःखयति, असद्वेद्याख्यकर्मोदयमन्तरेण
तदनुपपत्तेः । कर्मैव मिथ्याद्रष्टिं करोति, मिथ्यात्वकर्मोदयमन्तरेण तदनुपपत्तेः । कर्मैवासंयतं
વિસ્તારથી પણ [जीवस्य जीवरूपं] જીવનું જીવરૂપ [खलु] નિશ્ચયથી [लोकमात्रं जानीहि] લોકમાત્ર જાણ; [ततः] તેનાથી [किं सः हीनः अधिकः वा] શું તે હીન અથવા અધિક થાય છે? [द्रव्यम् कथं करोति] તો પછી (આત્મા) દ્રવ્યને (અર્થાત્ દ્રવ્યરૂપ આત્માને) કઈ રીતે કરે છે?
[अथ] અથવા જો ‘[ज्ञायकः भावः तु] જ્ઞાયક ભાવ તો [ज्ञानस्वभावेन तिष्ठति] જ્ઞાનસ્વભાવે સ્થિત રહે છે’ [इति मतम् ] એમ માનવામાં આવે, [तस्मात् अपि] તો એમ પણ [आत्मा स्वयं] આત્મા પોતે [आत्मनः आत्मानं तु] પોતાના આત્માને [न करोति] કરતો નથી એમ ઠરે છે!
(આ રીતે કર્તાપણું સાધવા માટે વિવક્ષા પલટીને જે પક્ષ કહ્યો તે ઘટતો નથી.) (આ પ્રમાણે, કર્મનો કર્તા કર્મ જ માનવામાં આવે તો સ્યાદ્વાદ સાથે વિરોધ આવે છે; માટે આત્માને અજ્ઞાન-અવસ્થામાં કથંચિત્ પોતાના અજ્ઞાનભાવરૂપ કર્મનો કર્તા માનવો, જેથી સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.)
ટીકાઃ — (અહીં પૂર્વપક્ષ આ પ્રમાણે છેઃ) ‘‘કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ઉદય વિના તેની ( – અજ્ઞાનની) અનુપપત્તિ છે; કર્મ જ (આત્માને) જ્ઞાની કરે છે, કારણ કે જ્ઞાનાવરણ નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુવાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ જગાડે છે, કારણ કે નિદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ સુખી કરે છે, કારણ કે શાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અશાતાવેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે; કર્મ જ મિથ્યાદ્રષ્ટિ