Samaysar (Gujarati). Kalash: 208.

< Previous Page   Next Page >


Page 494 of 642
PDF/HTML Page 525 of 673

 

૪૯૪

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(शार्दूलविक्रीडित)
आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः
कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः
चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतै-
रात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः
।।२०८।।

શ્લોકાર્થઃ[आत्मानं परिशुद्धम् ईप्सुभिः परैः अन्धकैः] આત્માને સમસ્તપણે શુદ્ધ ઇચ્છનારા બીજા કોઈ અંધોએ[पृथुकैः] બાલિશ જનોએ (બૌદ્ધોએ)[काल-उपाधि-बलात् अपि तत्र अधिकाम् अशुद्धिम् मत्वा] કાળની ઉપાધિના કારણે પણ આત્મામાં અધિક અશુદ્ધિ માનીને [अतिव्याप्तिं प्रपद्य] અતિવ્યાપ્તિને પામીને, [शुद्ध-ऋजुसूत्रे रतैः] શુદ્ધ ૠજુસૂત્રનયમાં રત થયા થકા [चैतन्यं क्षणिकं प्रकल्प्य] ચૈતન્યને ક્ષણિક કલ્પીને, [अहो एषः आत्मा व्युज्झितः] આત્માને છોડી દીધો; [निःसूत्र-मुक्ता-ईक्षिभिः हारवत्] જેમ હારમાંનો દોરો નહિ જોતાં કેવળ મોતીને જ જોનારાઓ હારને છોડી દે છે તેમ.

ભાવાર્થઃઆત્માને સમસ્તપણે શુદ્ધ માનવાના ઇચ્છક એવા બૌદ્ધોએ વિચાર્યું કે ‘‘આત્માને નિત્ય માનવામાં આવે તો નિત્યમાં કાળની અપેક્ષા આવે છે તેથી ઉપાધિ લાગી જશે; એમ કાળની ઉપાધિ લાગવાથી આત્માને મોટી અશુદ્ધતા આવશે અને તેથી અતિવ્યાપ્તિ દોષ લાગશે.’’ આ દોષના ભયથી તેઓએ શુદ્ધ ૠજુસૂત્રનયનો વિષય જે વર્તમાન સમય તેટલો જ માત્ર (ક્ષણિક જ) આત્માને માન્યો અને નિત્યાનિત્યસ્વરૂપ આત્માને ન માન્યો. આમ આત્માને સર્વથા ક્ષણિક માનવાથી તેમને નિત્યાનિત્યસ્વરૂપદ્રવ્યપર્યાયસ્વરૂપ સત્યાર્થ આત્માની પ્રાપ્તિ ન થઈ; માત્ર ક્ષણિક પર્યાયમાં આત્માની કલ્પના થઈ; પરંતુ તે આત્મા સત્યાર્થ નથી.

મોતીના હારમાં, દોરામાં અનેક મોતી પરોવેલાં હોય છે; જે માણસ તે હાર નામની વસ્તુને મોતી તેમ જ દોરા સહિત દેખતો નથીમાત્ર મોતીને જ જુએ છે, તે છૂટા છૂટા મોતીને જ ગ્રહણ કરે છે, હારને છોડી દે છે; અર્થાત્ તેને હારની પ્રાપ્તિ થતી નથી. તેવી રીતે જે જીવો આત્માના એક ચૈતન્યભાવને ગ્રહણ કરતા નથી અને સમયે સમયે વર્તનાપરિણામરૂપ ઉપયોગની પ્રવૃત્તિને દેખી આત્માને અનિત્ય કલ્પીને, ૠજુસૂત્રનયનો વિષય જે વર્તમાન-સમયમાત્ર ક્ષણિકપણું તેટલો જ માત્ર આત્માને માને છે (અર્થાત્ જે જીવો આત્માને દ્રવ્યપર્યાયસ્વરૂપ માનતા નથીમાત્ર ક્ષણિક પર્યાયરૂપ જ માને છે), તેઓ આત્માને છોડી દે છે; અર્થાત્ તેમને આત્માની પ્રાપ્તિ થતી નથી. ૨૦૮.

હવેના કાવ્યમાં આત્માનો અનુભવ કરવાનું કહે છેઃ