૫૦૨
किञ्चनापि परिणामिनः स्वयम् ।
શ્લોકાર્થઃ — [वस्तु] એક વસ્તુ [स्वयम् परिणामिनः अन्य-वस्तुनः] સ્વયં પરિણમતી અન્ય વસ્તુને [किञ्चन अपि कुरुते] કાંઈ પણ કરી શકે છે — [यत् तु] એમ જે માનવામાં આવે છે, [तत् व्यावहारिक- द्रशा एव मतम्] તે વ્યવહારદ્રષ્ટિથી જ માનવામાં આવે છે. [निश्चयात्] નિશ્ચયથી [इह अन्यत् किम् अपि न अस्ति] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્ એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી).
ભાવાર્થઃ — એક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે ‘અન્ય દ્રવ્યે આ કર્યું’, તે વ્યવહારનયની દ્રષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ પરિણમન થાય છે; તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.
આ ઉપરથી એમ સમજવું કે — પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતા નથી. માટે ‘જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે’ એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪.
(‘ખડી તો ખડી જ છે’ — એ નિશ્ચય છે; ‘ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત-સ્વભાવે પરિણમતી ભીંતને સફેદ કરે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે ‘જ્ઞાયક તો જ્ઞાયક જ છે’ — એ નિશ્ચય છે; ‘જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં એવાં પરદ્રવ્યોને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ —