કહાનજૈનશાસ્ત્રમાળા ]
कनकमिव निमग्नं वर्णमालाकलापे ।
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ।।८।।
ભાવાર્થઃ — આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કાર- માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદ્રષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધપર્યાયરૂપ દ્રષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે; પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત- નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति] આ રીતે [चिरम् नव-तत्त्व-च्छन्नम् इदम् आत्मज्योतिः] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [वर्णमाला-कलापे निमग्नं कनकम् इव] જેમ વર્ણોના સમૂહમાં છુપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [उन्नीयमानं] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [अथ] માટે હવે હે ભવ્ય જીવો! [सततविविक्तं] હંમેશાં આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [एकरूपं] એકરૂપ [द्रश्यताम्] દેખો. [प्रतिपदम् उद्योतमानम्] આ (જ્યોતિ), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિત્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થઃ — આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો — એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮.
ટીકાઃ — હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે