૬૧૬
स्वयं साधकसिद्धरूपोभयपरिणामित्वात् । तत्र यत्साधकं रूपं स उपायः, यत्सिद्धं रूपं
स उपेयः । अतोऽस्यात्मनोऽनादिमिथ्यादर्शनज्ञानचारित्रैः स्वरूपप्रच्यवनात् संसरतः सुनिश्चल-
परिगृहीतव्यवहारसम्यग्दर्शनज्ञानचारित्रपाकप्रकर्षपरम्परया क्रमेण स्वरूपमारोप्यमाणस्यान्त- र्मग्ननिश्चयसम्यग्दर्शनज्ञानचारित्रविशेषतया साधकरूपेण तथा परमप्रकर्षमकरिकाधिरूढ-
સાથે મેળવાળી) દ્રષ્ટિ વડે સ્વયમેવ દેખતા થકા, [स्याद्वाद - शुद्धिम् अधिकाम् अधिगम्य] સ્યાદ્વાદની અત્યંત શુદ્ધિને જાણીને, [जिन - नीतिम् अलङ्घयन्तः] જિનનીતિને (જિનેશ્વરદેવના માર્ગને) નહિ ઉલ્લંઘતા થકા, [सन्तः ज्ञानीभवन्ति] સત્પુરુષો જ્ઞાનસ્વરૂપ થાય છે.
ભાવાર્થઃ — જે સત્પુરુષો અનેકાંત સાથે સુસંગત દ્રષ્ટિ વડે અનેકાંતમય વસ્તુસ્થિતિને દેખે છે, તેઓ એ રીતે સ્યાદ્વાદની શુદ્ધિને પામીને – જાણીને, જિનદેવના માર્ગને – સ્યાદ્વાદન્યાયને – નહિ ઉલ્લંઘતા થકા, જ્ઞાનસ્વરૂપ થાય છે. ૨૬૫.
(આ રીતે સ્યાદ્વાદ વિષે કહીને, હવે આચાર્યદેવ ઉપાય - ઉપેયભાવ વિષે થોડું કહે છેઃ — )
હવે આનો ( – જ્ઞાનમાત્ર આત્મવસ્તુનો *ઉપાય - ઉપેયભાવ વિચારવામાં આવે છે (અર્થાત્ આત્મવસ્તુ જ્ઞાનમાત્ર હોવા છતાં તેને ઉપાયપણું અને ઉપેયપણું બન્ને કઈ રીતે ઘટે છે તે વિચારવામાં આવે છે)ઃ —
આત્મવસ્તુને જ્ઞાનમાત્રપણું હોવા છતાં પણ તેને ઉપાય - ઉપેયભાવ (ઉપાય-ઉપેયપણું) છે જ; કારણ કે તે એક હોવા છતાં +પોતે સાધક રૂપે અને સિદ્ધ રૂપે એમ બન્ને રૂપે પરિણમે છે. તેમાં જે સાધક રૂપ છે તે ઉપાય છે અને જે સિદ્ધ રૂપ છે તે ઉપેય છે. માટે, અનાદિ કાળથી મિથ્યાદર્શનજ્ઞાનચારિત્ર વડે (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર વડે) સ્વરૂપથી ચ્યુત હોવાને લીધે સંસારમાં ભ્રમણ કરતાં, સુનિશ્ચળપણે ગ્રહણ કરેલાં વ્યવહારસમ્યગ્દર્શન- જ્ઞાનચારિત્રના પાકના પ્રકર્ષની પરંપરા વડે અનુક્રમે સ્વરૂપમાં આરોહણ કરાવવામાં આવતા આ આત્માને, અંતર્મગ્ન જે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ભેદો તે - પણા વડે પોતે સાધક રૂપે * ઉપેય એટલે પામવાયોગ્ય, અને ઉપાય એટલે પામવાયોગ્ય જેનાથી પમાય તે. આત્માનું શુદ્ધ
( – સર્વ કર્મ રહિત) સ્વરૂપ અથવા મોક્ષ તે ઉપેય છે અને મોક્ષમાર્ગ તે ઉપાય છે. +આત્મા પરિણામી છે અને સાધકપણું તથા સિદ્ધપણું એ બન્ને તેના પરિણામ છે.