કહાનજૈનશાસ્ત્રમાળા ]
यो ज्ञानमात्रमयतां न जहाति भावः ।
तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ।।२६४।।
ज्ञानीभवन्ति जिननीतिमलङ्घयन्तः ।।२६५।।
‘ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી’ — એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इत्यादि - अनेक - निज - शक्ति - सुनिर्भरः अपि] ઇત્યાદિ ( – પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં [यः भावः ज्ञानमात्रमयतां न जहाति] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [तद्] એવું તે, [एवं क्रम - अक्रम - विवर्ति - विवर्त - चित्रम्] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી ( – રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [द्रव्यपर्ययमयं] દ્રવ્યપર્યાયમય [चिद्] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવ – આત્મા) [इह] આ લોકમાં [वस्तु अस्ति] વસ્તુ છે.
ભાવાર્થઃ — કોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનને — કે જે અસાધારણ ભાવ છે તેને — છોડતો નથી, તેની સર્વ અવસ્થાઓ – પરિણામો – પર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪.
‘આ અનેકસ્વરૂપ – અનેકાંતમય – વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’ — એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इति वस्तु - तत्त्व - व्यवस्थितिम् नैकान्त - सङ्गत - द्रशा स्वयमेव प्रविलोकयन्तः] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત - સંગત ( – અનેકાંત સાથે સુસંગત, અનેકાંત