Samaysar (Gujarati). Kalash: 264-265.

< Previous Page   Next Page >


Page 615 of 642
PDF/HTML Page 646 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પરિશિષ્ટ
૬૧૫
(वसन्ततिलका)
इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि
यो ज्ञानमात्रमयतां न जहाति भावः
एवं क्रमाक्रमविवर्तिविवर्तचित्रं
तद्द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु
।।२६४।।
(वसन्ततिलका)
नैकान्तसङ्गतद्रशा स्वयमेव वस्तु-
तत्त्वव्यवस्थितिमिति प्रविलोकयन्तः
स्याद्वादशुद्धिमधिकामधिगम्य सन्तो
ज्ञानीभवन्ति जिननीतिमलङ्घयन्तः
।।२६५।।

‘ઇત્યાદિક અનેક શક્તિઓથી યુક્ત આત્મા છે તોપણ તે જ્ઞાનમાત્રપણાને છોડતો નથી’એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છેઃ

શ્લોકાર્થઃ[इत्यादि - अनेक - निज - शक्ति - सुनिर्भरः अपि] ઇત્યાદિ (પૂર્વે કહેલી ૪૭ શક્તિઓ વગેરે વગેરે) અનેક નિજ શક્તિઓથી સારી રીતે ભરેલો હોવા છતાં [यः भावः ज्ञानमात्रमयतां न जहाति] જે ભાવ જ્ઞાનમાત્રમયપણાને છોડતો નથી, [तद्] એવું તે, [एवं क्रम - अक्रम - विवर्ति - विवर्त - चित्रम्] પૂર્વોક્ત પ્રકારે ક્રમરૂપે અને અક્રમરૂપે વર્તતા વિવર્તથી (રૂપાંતરથી, પરિણમનથી) અનેક પ્રકારનું, [द्रव्यपर्ययमयं] દ્રવ્યપર્યાયમય [चिद्] ચૈતન્ય (અર્થાત્ એવો તે ચૈતન્યભાવઆત્મા) [इह] આ લોકમાં [वस्तु अस्ति] વસ્તુ છે.

ભાવાર્થઃકોઈ એમ સમજશે કે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો તેથી તે એકસ્વરૂપ જ હશે. પરંતુ એમ નથી. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યપર્યાયમય છે. ચૈતન્ય પણ વસ્તુ છે, દ્રવ્યપર્યાયમય છે. તે ચૈતન્ય અર્થાત્ આત્મા અનંત શક્તિઓથી ભરેલો છે અને ક્રમરૂપ તથા અક્રમરૂપ અનેક પ્રકારના પરિણામના વિકારોના સમૂહરૂપ અનેકાકાર થાય છે તોપણ જ્ઞાનનેકે જે અસાધારણ ભાવ છે તેનેછોડતો નથી, તેની સર્વ અવસ્થાઓપરિણામોપર્યાયો જ્ઞાનમય જ છે. ૨૬૪.

‘આ અનેકસ્વરૂપઅનેકાંતમયવસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે, તેઓ જ્ઞાનસ્વરૂપ થાય છે’એવા આશયનું, સ્યાદ્વાદનું ફળ બતાવતું કાવ્ય હવે કહે છેઃ

શ્લોકાર્થઃ[इति वस्तु - तत्त्व - व्यवस्थितिम् नैकान्त - सङ्गत - द्रशा स्वयमेव प्रविलोकयन्तः] આવી (અનેકાંતાત્મક) વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિને અનેકાંત - સંગત (અનેકાંત સાથે સુસંગત, અનેકાંત