Samaysar (Gujarati). Gatha: 15.

< Previous Page   Next Page >


Page 43 of 642
PDF/HTML Page 74 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પૂર્વરંગ
૪૩
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं अणण्णमविसेसं
अपदेससंतमज्झं पस्सदि जिणसासणं सव्वं ।।१५।।
यः पश्यति आत्मानम् अबद्धस्पृष्टमनन्यमविशेषम्
अपदेशसान्तमध्यं पश्यति जिनशासनं सर्वम् ।।१५।।

येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः सा खल्वखिलस्य जिनशासनस्यानुभूतिः, श्रुतज्ञानस्य स्वयमात्मत्वात्; ततो ज्ञानानुभूतिरेवात्मानुभूतिः किन्तु

હવે, શુદ્ધનયના વિષયભૂત આત્માની અનુભૂતિ છે તે જ જ્ઞાનની અનુભૂતિ છે એમ આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ કાવ્ય કહે છે

શ્લોકાર્થ[इति] એ રીતે [या शुद्धनयात्मिका आत्म-अनुभूतिः] જે પૂર્વકથિત શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે [इयम् एव किल ज्ञान-अनुभूतिः] તે જ ખરેખર જ્ઞાનની અનુભૂતિ છે [इति बुद्ध्वा] એમ જાણીને તથા [आत्मनि आत्मानम् सुनिष्प्रकम्पम् निवेश्य] આત્મામાં આત્માને નિશ્ચળ સ્થાપીને, [नित्यम् समन्तात् एकः अवबोध-घनः अस्ति] ‘સદા સર્વ તરફ એક જ્ઞાનઘન આત્મા છે’ એમ દેખવું.

ભાવાર્થપહેલાં સમ્યગ્દર્શનને પ્રધાન કરી કહ્યું હતું; હવે જ્ઞાનને મુખ્ય કરી કહે છે કે આ શુદ્ધનયના વિષયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યગ્જ્ઞાન છે. ૧૩.

હવે, આ અર્થરૂપ ગાથા કહે છેઃ

અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, જે અવિશેષ દેખે આત્મને,
તે દ્રવ્ય તેમ જ ભાવ જિનશાસન સકલ દેખે ખરે. ૧૫.

ગાથાર્થ[यः] જે પુરુષ [आत्मानम्] આત્માને [अबद्धस्पृष्टम्] અબદ્ધસ્પૃષ્ટ, [अनन्यम्] અનન્ય, [अविशेषम्] અવિશેષ (તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત) [पश्यति] દેખે છે તે [सर्वम् जिनशासनं] સર્વ જિનશાસનને [पश्यति] દેખે છે,કે જે જિનશાસન [अपदेशसान्तमध्यं] બાહ્ય દ્રવ્યશ્રુત તેમ જ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે.

ટીકાજે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે, કારણ * પાઠાન્તરઃ अपदेससुत्तमज्झं૧. अपदेश = દ્રવ્યશ્રુત; सान्त = જ્ઞાનરૂપ ભાવશ્રુત.