૪૨
र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात् ।
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः ।।१२।।
ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा ।
मेकोऽस्ति नित्यमवबोधघनः समन्तात् ।।१३।।
એવા શુદ્ધ સ્વભાવનો, મોહ રહિત થઈને જગત અનુભવ કરો; કારણ કે મોહકર્મના ઉદયથી ઉત્પન્ન મિથ્યાત્વરૂપ અજ્ઞાન જ્યાં સુધી રહે છે ત્યાં સુધી એ અનુભવ યથાર્થ થતો નથી.
હવે, એ જ અર્થનું કલશરૂપ કાવ્ય ફરીને કહે છે જેમાં એમ કહે છે કે આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ પ્રતિભાસમાન થાય છેઃ —
શ્લોકાર્થઃ — [यदि] જો [कः अपि सुधीः] કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દ્રષ્ટિ) [भूतं भान्तम् अभूतम् एव बन्धं] ભૂત, વર્તમાન અને ભાવી એવા ત્રણે કાળના (કર્મોના) બંધને પોતાના આત્માથી [रभसात्] તત્કાળ-શીઘ્ર [निर्भिद्य] ભિન્ન કરીને તથા [मोहं] તે કર્મના ઉદયના નિમિત્તથી થયેલ મિથ્યાત્વ(અજ્ઞાન)ને [हठात्] પોતાના બળથી (પુરુષાર્થથી) [व्याहत्य] રોકીને અથવા નાશ કરીને [अन्तः] અંતરંગમાં [किल अहो कलयति] અભ્યાસ કરે — દેખે તો [अयम् आत्मा] આ આત્મા [आत्म-अनुभव-एक-गम्य-महिमा] પોતાના અનુભવથી જ જણાવાયોગ્ય જેનો પ્રગટ મહિમા છે એવો [व्यक्तः] વ્યક્ત (અનુભવગોચર), [ध्रुवं] નિશ્ચલ, [शाश्वतः] શાશ્વત, [नित्यं कर्म-कलङ्क-पङ्क-विकलः] નિત્ય કર્મકલંક-કર્દમથી રહિત — [स्वयं देवः] એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ [आस्ते] વિરાજમાન છે.
ભાવાર્થઃ — શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ કર્મોથી રહિત ચૈતન્યમાત્ર દેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી રહ્યો છે. આ પ્રાણી — પર્યાયબુદ્ધિ બહિરાત્મા — તેને બહાર ઢૂંઢે છે તે મોટું અજ્ઞાન છે. ૧૨.