Samaysar (Gujarati). Kalash: 14.

< Previous Page   Next Page >


Page 45 of 642
PDF/HTML Page 76 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

પૂર્વરંગ
૪૫

त्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोऽप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते

(पृथ्वी)
अखण्डितमनाकुलं ज्वलदनन्तमन्तर्बहि-
र्महः परममस्तु नः सहजमुद्विलासं सदा
चिदुच्छलननिर्भरं सकलकालमालम्बते
यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितम्
।।१४।।

એક ક્ષારરસપણાને લીધે ક્ષારપણે સ્વાદમાં આવે છે તેમ આત્મા પણ, પરદ્રવ્યના સંયોગનો વ્યવચ્છેદ કરીને કેવળ આત્માનો જ અનુભવ કરવામાં આવતાં, સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણે સ્વાદમાં આવે છે.

ભાવાર્થઅહીં આત્માની અનુભૂતિ તે જ જ્ઞાનની અનુભૂતિ કહેવામાં આવી છે. અજ્ઞાનીજન જ્ઞેયોમાં જઇંદ્રિયજ્ઞાનના વિષયોમાં જલુબ્ધ થઈ રહ્યા છે; તેઓ ઇંદ્રિયજ્ઞાનના વિષયોથી અનેકાકાર થયેલ જ્ઞાનને જ જ્ઞેયમાત્ર આસ્વાદે છે પરંતુ જ્ઞેયોથી ભિન્ન જ્ઞાનમાત્રનો આસ્વાદ નથી લેતા. અને જેઓ જ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત નથી તેઓ જ્ઞેયોથી જુદા એકાકાર જ્ઞાનનો જ આસ્વાદ લે છે,જેમ શાકોથી જુદી મીઠાની કણીનો ક્ષારમાત્ર સ્વાદ આવે તેવી રીતે આસ્વાદ લે છે, કારણ કે જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. આ પ્રમાણે ગુણી-ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યોથી જુદું, પોતાના પર્યાયોમાં એકરૂપ, નિશ્ચળ, પોતાના ગુણોમાં એકરૂપ, પરનિમિત્તથી ઉત્પન્ન થયેલ ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ, તેનું અનુભવન તે જ્ઞાનનું અનુભવન છે, અને આ અનુભવન તે ભાવશ્રુતજ્ઞાનરૂપ જિનશાસનનું અનુભવન છે. શુદ્ધનયથી આમાં કાંઈ ભેદ નથી.

હવે આ જ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે

શ્લોકાર્થઆચાર્ય કહે છે કે [परमम् महः नः अस्तु] તે ઉત્કૃષ્ટ તેજપ્રકાશ અમને હો [यत् सकलकालम् चिद्-उच्छलन-निर्भरं] કે જે તેજ સદાકાળ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે, [उल्लसत्-लवण-खिल्य-लीलायितम्] જેમ મીઠાની કાંકરી એક ક્ષારરસની લીલાનું આલંબન કરે છે તેમ જે તેજ [एक-रसम् आलम्बते] એક જ્ઞાનરસસ્વરૂપને અવલંબે છે, [अखण्डितम्] જે તેજ અખંડિત છેજ્ઞેયોના આકારરૂપે ખંડિત થતું નથી, [अनाकुलं] જે અનાકુળ છે જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુળતા નથી, [अनन्तम् अन्तः बहिः ज्वलत्] જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છેજાણવામાં આવે છે, [सहजम्] જે સ્વભાવથી થયું છેકોઈએ રચ્યું નથી અને [सदा उद्विलासं] હમેશાં જેનો