Samaysar (Gujarati). Kalash: 15 Gatha: 16.

< Previous Page   Next Page >


Page 46 of 642
PDF/HTML Page 77 of 673

 

૪૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
एष ज्ञानघनो नित्यमात्मा सिद्धिमभीप्सुभिः
साध्यसाधकभावेन द्विधैकः समुपास्यताम् ।।१५।।
दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिच्चं
ताणि पुण जाण तिण्णि वि अप्पाणं चेव णिच्छयदो ।।१६।।
दर्शनज्ञानचरित्राणि सेवितव्यानि साधुना नित्यम्
तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानं चैव निश्चयतः ।।१६।।

येनैव हि भावेनात्मा साध्यः साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति स्वयमाकूय परेषां વિલાસ ઉદયરૂપ છેજે એકરૂપ પ્રતિભાસમાન છે.

ભાવાર્થઆચાર્યે પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપજ્યોતિ અમને સદા પ્રાપ્ત રહો. ૧૪.

હવે, આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે

શ્લોકાર્થ[एषः ज्ञानघनः आत्मा] આ (પૂર્વકથિત) જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, [सिद्धिम् अभीप्सुभिः] સ્વરૂપની પ્રાપ્તિના ઇચ્છક પુરુષોએ [साध्यसाधकभावेन] સાધ્યસાધકભાવના ભેદથી [द्विधा] બે પ્રકારે, [एकः] એક જ [नित्यम् समुपास्यताम्] નિત્ય સેવવાયોગ્ય છે; તેનું સેવન કરો.

ભાવાર્થઆત્મા તો જ્ઞાનસ્વરૂપ એક જ છે પરંતુ એનું પૂર્ણરૂપ સાધ્યભાવ છે અને અપૂર્ણરૂપ સાધકભાવ છે; એવા ભાવભેદથી બે પ્રકારે એકને જ સેવવો. ૧૫.

હવે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવ છે એમ ગાથામાં કહે છે

દર્શન, વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવાં;
પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચયદ્રષ્ટિમાં. ૧૬.

ગાથાર્થ[साधुना] સાધુ પુરુષે [दर्शनज्ञानचरित्राणि] દર્શન, જ્ઞાન અને ચારિત્ર [नित्यम्] સદા [सेवितव्यानि] સેવવાયોગ્ય છે; [पुनः] વળી [तानि त्रीणि अपि] તે ત્રણેને [निश्चयतः] નિશ્ચયનયથી [आत्मानं च एव] એક આત્મા જ [जानीहि] જાણો.

ટીકાઆ આત્મા જે ભાવથી સાધ્ય તથા સાધન થાય તે ભાવથી જ નિત્ય