Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 103 of 237
PDF/HTML Page 116 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( શ્રી મુનિ ભગવંતની સાથે : ૧૦૩
દેદાર જોતાં જ ઘડીભર ચિત્ત થંભી ગયું, દુનિયા ભુલાઈ ગઈ;
ઇંદ્રિયો થંભી ગઈ, વિકલ્પો શાંત થઈ ગયા.....અહો, આશ્ચર્ય
!
જેમના દેદાર જોતાં જ વિકલ્પો શાંત થવા માંડયા, તો તેમના
અંતરમાં પ્રવેશતાં સર્વે વિકલ્પો મટીને નિર્વિકલ્પ – શાંતિ થશે, તેવી
પ્રતીતિ થઈ.....અને મેં જ્ઞાનદ્વારા એમના હૃદયમાં પ્રવેશ કર્યો.
કેવા છે એ મુનિરાજ! કેવા છે એ નાનકડા સિદ્ધ!
– જેમને સહજપણે બાહ્ય તેમજ અંતરંગ ત્યાગ વર્તે છે;
બાહ્યમાં વસ્ત્રાદિનો ને અંતરમાં કષાયોનો ત્યાગ વર્તે છે; નિરંતર
જેઓ આત્મ – આનંદના જોરદાર અનુભવમાં રત છે. અરે, ક્ષણે
ક્ષણે જેઓ આશ્ચર્યકારી આનંદસાગરમાં ડૂબકી મારે છે ને સિદ્ધ
જેવો જ આનંદ અનુભવી લ્યે છે; – પછી તેમને સિદ્ધ કેમ ન
કહેવાય
? પૂ. શ્રી કાનજીસ્વામીના શબ્દોમાં કહીએ તો ‘અહા, મુનિ
તો હાલતા – ચાલતા સિદ્ધ છે.’
અદ્ભુત, અપૂર્વ, સિદ્ધસમાન આનંદના હિલોળા તેમના
અંતરમાં ઉલ્લસી રહ્યા છે. પ્રમાદનું તેમને નામનિશાન નથી,
ચૈતન્યની અનુભૂતિ તેમને સતત સુલભ છે, ને બાહ્ય વિષયોનો
પરિચય તેમને છૂટી ગયો છે. રાગમાત્રને દુશ્મન સમજીને તેનાથી
તેઓ સાવધાન છે, અને અંતરમાં ઉલ્લસતી સુખસાગરની છોળ
પીવામાં મગ્ન છે.....ધન્ય છે – આ મુનિરાજ
!
અહો, આજે કેવો અવસર આવ્યો છે! અપૂર્વ સોનેરી
અવસર છે કે મને આવા મુનિરાજના સાક્ષાત્ દર્શન થયા; તેમનું
મિલન થતાં જાણે સિદ્ધનું મિલન થયું. પરમાત્માનો સાક્ષાત્કાર થયો.
જેમ દરિયામાં ડૂબતાને નાની નૌકા મળી જાય કે રણમાં તરસ્યાને
મીઠા પાણીનું નાનકડું ઝરણું દેખાય ને હર્ષિત થાય તેમ
પંચમકાળમાં નાનકડા સિદ્ધ જેવા આ મુનિરાજના દર્શનથી મારું