Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 126 of 237
PDF/HTML Page 139 of 250

 

background image
૧૨૬ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સ્વાનુભૂતિ – પ્રકાશ
આ ‘સ્વાનુભૂતિ – પ્રકાશ’શાસ્ત્ર અંતરની અનુભૂતિના
ભાવો વડે રચાયેલું છે. આના ભાવો સમજીને જે મુમુક્ષુજીવો
આદરથી – વિશ્વાસથી અને ઊંડા મનનથી આનો સ્વાધ્યાય કરશે
તે જીવોને સ્વાનુભૂતિ પ્રત્યેનો પરમ ઉત્સાહ જાગશે અને અત્યંત
અલ્પકાળમાં જ તેઓ સ્વાનુભૂતિનો પ્રકાશ કરીને ચૈતન્યના પરમ
અતીન્દ્રિય આનંદને પામશે. અને, જેઓ આવા અતીન્દ્રિય –
આનંદને પામેલા છે એવા – સ્વાનુભૂતિવંતા મારા સાધર્મીજનો
પણ આ સ્વાનુભૂતિપ્રકાશ – શાસ્ત્ર દ્વારા પોતાની સ્વાનુભૂતિને
ફરી ફરીને અત્યંત તાજી કરીને ખૂબ આનંદિત થશે.
સ્વાનુભૂતિનો પ્રકાશ જગતના સર્વે મુમુક્ષુજીવોમાં
વિસ્તરો ને જૈનશાસનની આ સ્વાનુભૂતિ જગતનું કલ્યાણ કરો.
‘‘જય વર્દ્ધમાન’’ બ્ર. હરિલાલ જૈન