આદરથી – વિશ્વાસથી અને ઊંડા મનનથી આનો સ્વાધ્યાય કરશે
તે જીવોને સ્વાનુભૂતિ પ્રત્યેનો પરમ ઉત્સાહ જાગશે અને અત્યંત
અલ્પકાળમાં જ તેઓ સ્વાનુભૂતિનો પ્રકાશ કરીને ચૈતન્યના પરમ
અતીન્દ્રિય આનંદને પામશે. અને, જેઓ આવા અતીન્દ્રિય –
આનંદને પામેલા છે એવા – સ્વાનુભૂતિવંતા મારા સાધર્મીજનો
પણ આ સ્વાનુભૂતિપ્રકાશ – શાસ્ત્ર દ્વારા પોતાની સ્વાનુભૂતિને
ફરી ફરીને અત્યંત તાજી કરીને ખૂબ આનંદિત થશે.
‘‘જય વર્દ્ધમાન’’ બ્ર. હરિલાલ જૈન