મારાથી છૂટું પડવાનું નથી – એવી મને પરમ તૃપ્તિ થઈ. અત્યાર
સુધી, સ્વાનુભૂતિ થયા પહેલાં આ આત્મા અનેકવાર અનેક
પ્રસંગોમાં દુઃખના ભડકામાં બળતો હતો, વારંવાર અનેક પ્રકારના
સુખ – દુઃખના પ્રસંગો – એમાં પણ સુખ કરતાં દુઃખના પ્રસંગો
ઝાઝા, અનેક તીવ્ર માન – અપમાનના પ્રસંગો, – એવા અનેક
પ્રસંગોમાં આ જીવ દુઃખના ભડકામાં બળતો હતો; વચ્ચે ક્યારેક
કોઈ કોઈવાર જ્ઞાની ધર્માત્માઓના સત્સંગથી થોડીથોડી શાંતિ
મળતી હતી, પરંતુ ચૈતન્યની શાંતિ વગર દુઃખના ભડકામાં આ
જીવ શેકાતો હતો. આહા
નથી. આવી અદ્ભુત શાંતિ, – એ શાંતિ પણ કેટલી
શાંતસ્વભાવમાં હું હવે લીન થયો. મારી શાંતિનું વેદન – એમાં હું
એકત્વપણે પરિણમ્યો, એટલે હું પોતે જ શાંતિસ્વરુપ થયો. આ
શાંતિથી હું હવે કદી છૂટવાનો નથી, નથી. અહો વીરનાથ ભગવાન
આપના શાસનનું સમ્યગ્દર્શન, – એ મહાન કલ્યાણકારી છે.
આજના આપના કલ્યાણકના મહાન દિવસે.....ચૈત્ર સુદ તેરસે હું
આપને, આપના શાસનને, સ્વાનુભૂતિ સહિત અપૂર્વ ભક્તિપૂર્વક
નમસ્કાર કરું છું. ।।૩૪।।