જીવન મારા આત્મકાર્યની સિદ્ધિથી તૃપ્ત અને કૃતાર્થ બન્યું છે : –
કાર્યસિદ્ધિથી થયો અતિશય તૃપ્ત જો;
દુઃખોના રે ભડાકાથી જીવ છૂટિયો,
અદ્ભુત શાંતિ – શાંતિમાં થયો લીન જો...
આવ્યા રે આવ્યા..ચેતન પ્રભુજી અંતરે..
હતો, શું કરું – એની કાંઈ સૂઝ ન હતી, કેવું સ્વરુપ છે એનું કોઈ
વેદન ન હતું, અને પોતાના સ્વરુપને જાણવા માટે જ્ઞાનીના
સત્સંગમાં ખૂબ – ખૂબ ઝંખતો હતો, અહો, મારા સ્વરુપનું સમ્યક્
દર્શન મને થાય, મારા સ્વરુપના સુખનું વેદન મને થાય, – એને
માટે આ આત્મા અતૃપ્તપણે ખૂબ – ખૂબ દિવસ – રાત ઝંખતો
હતો, એની વેદના ખૂબ જ થતી હતી.....હવે.....
સુખનું, એની શાંતિનું, એના અનંત સ્વભાવોનું વેદન થતાં, આ
આત્મા અતિશય તૃપ્ત થયો, કૃતકૃત્ય થયો. આહા