દુઃખના માર્ગથી છૂટીને મોક્ષસુખ તરફ ચાલવા લાગ્યો; અહો, જે
ધરતીકંપમાં આવા સુંદર – મહાન – અનંતકાર્યો એક સાથે થાય
છે એવી સ્વાનુભૂતિની શી વાત
મોટા ખાડા બની જાય, અને જ્યાં ઊંડાઊંડા ખાડા હોય ત્યાં
ઊછળીને મોટા પહાડ દેખાવા માંડે – એવું ધરતીકંપમાં બને છે;
તેમ આ ચૈતન્યમાં સ્વાનુભૂતિના ધરતીકંપનો એક મહાન ઊછાળો
થતાં, આત્મામાં જ્યાં દુઃખનાં પહાડ હતા તે પહાડ તૂટીને ગંભીર
ચૈતન્યની શાંતિના દરિયા બની ગયા, જ્યાં ભવસમુદ્ર હતો તે સમુદ્ર
પુરાઈને તેની જગ્યાએ આનંદનો પહાડ રચાઈ ગયો. અહો, આવો
ધરતીકંપ, આવી સ્વાનુભૂતિ, ચૈતન્યના પાતાળમાંથી સ્વયં ઉલ્લસેલું
આત્માનું સુખ, એનો ઉલ્લાસ, એનો આહ્લાદ – એ પ્રસંગની શી
વાત
આનંદથી ધ્રુજી ઊઠી, તેમ અમારા આત્મામાં મંગલ સ્વાનુભૂતિનો
અવતાર થતાં અમારી ચૈતન્યપૃથ્વી – અમારા અસંખ્યપ્રદેશો
અતીન્દ્રિય આનંદના ઝણઝણાટથી ધ્રુજી રહ્યા છે.....એ ઝણઝણાટી
વડે આપના ઉપકારના મંગલ ગીત ગવાય છે.