ખરેખર તો ચૈતન્યની સ્વાનુભૂતિના પ્રતાપે જ છે. ચૈતન્યની
સ્વાનુભૂતિવાળા સાધક જીવો જ્યારે આ ગીરનારમાં વિચર્યા ત્યારે
તે સાધક જીવોના ચરણના પ્રતાપે જ આ ગીરનારના પથ્થરોને પણ
તીર્થપણું પ્રાપ્ત થયું છે. એ રીતે જે સ્વાનુભતિના પ્રતાપે આ પર્વતો
પણ પૂજ્ય – તીર્થ બન્યા ને આ પથ્થર એ પણ પરમાત્માની જેમ
પૂજાવા લાગ્યા, અહો! એ સ્વાનુભૂતિના પ્રતાપની શી વાત! અને
પહાડ છે. ।।૩૬।।
સર્વે તીર્થો સ્વાનુભૂતિમાં સમાય જો;
સ્વાનુભૂતિનું આનંદ – તીરથ છોડીને
જતો નથી હું બહાર સંસાર – ધામ જો.....
પ્રસંગવશાત તીર્થપણું પ્રાપ્ત થાય છે, પરંતુ આ ચૈતન્યની સ્વાનુભૂતિ
તો સદાય તીર્થસ્વરુપ છે. અને એ સ્વાનુભૂતિના તીર્થમાં બધા તીર્થો
સમાય છે. જગતની કોઈપણ જગ્યા હોય પણ જો ત્યાં
સ્વાનુભૂતિવાળો જીવ હોય તો તે જગ્યા તીર્થ જ છે, કેમકે
સ્વાનુભૂતિ તે પોતે આનંદમય તીર્થ છે. સ્વાનુભૂતિરુપ થયેલો આ
મારો આત્મા હવે પોતાની સ્વાનુભૂતિના તીર્થને છોડીને બીજે ક્યાંય
જતો નથી. બાહ્યદ્રષ્ટિએ ભલે ગમે તે સ્થાન હો – ગીરનાર હો કે