Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 38.

< Previous Page   Next Page >


Page 184 of 237
PDF/HTML Page 197 of 250

 

background image
૧૮૪ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
સોનગઢ હો, મોરબી હો કે સમ્મેદશિખર હો, પરંતુ અંતરમાં
સ્વાનુભૂતિ – તીર્થ મારી સાથે જ વર્તી રહ્યું છે. હું પોતે તીર્થસ્વરુપ
છું. આવા મારા ચૈતન્યભાવરુપ તીર્થને છોડીને સંસારના ભાવમાં હું
જતો નથી. સંસારધામને છોડીને હું મારા મોક્ષધામમાં વસ્યો છું;
તેથી હું સદાય તીર્થમાં જ રહેનારો છું; સદા મોક્ષની તીર્થયાત્રા જ
હું કરી રહ્યો છું. ।।૩૭।।
સ્વાનુભૂતિના પ્રતાપે બધુંય માંગળિક છે. આત્મા
સ્વાનુભૂતિરુપ થયો ત્યાં પોતે માંગળિક થયો, ને તે આત્માના
સંબંધરુપ દ્રવ્ય – ક્ષેત્ર – કાળ – ભાવ તે બધા પણ માંગળિક જ
છે. જુઓને, આજે આ ચૈત્રસુદ તેરસ, – ભલેને મહાવીર
ભગવાનના જન્મને તો ૨૫૭૨ વર્ષ થઈ ગયા, છતાં એ આત્મા
મંગળરુપ હતો તો તેમના પ્રતાપે આજનો આ દિવસ પણ (આજે
૨૫૭૨ વર્ષ પછી પણ) માંગળિક તરીકે ઉજવાય છે. આ રીતે
મંગળરુપ આત્માના પ્રતાપે બધું મંગળ જ છે. –
(૩૮ – ૩૮)
મંગલરુપ આ આતમરામી જીવડો,
બન્યા છે મુજ ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ મુજમાં વર્તતા,
અહો, અહો, આ સમ્યક્નો જ પ્રતાપ જો.....
જ્યાં જશે આ આતમરામી જીવડો,
બની જશે તે ક્ષેત્ર – કાળ મંગળ જો;
દ્રવ્ય – ભાવ પણ મંગળ જે પીછાણશે,
તેને મંગળ સર્વ પ્રકારે થાય જો.....