Samyak Darshan Part 7 8 (Gujarati). Pad 43.

< Previous Page   Next Page >


Page 198 of 237
PDF/HTML Page 211 of 250

 

background image
૧૯૮ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
પોતાની આત્મિક શક્તિ ઉપર આધાર રાખીને, આત્મિક ભાવનાના
જોરે જ સ્વાનુભૂતિ થઈ શકે છે. અહો, એ ચોથી ટૂંકની યાત્રા એક
(૨૪૯૭ માં) સ્વાનુભૂતિ પહેલાંની યાત્રા, અને પછી બીજી આ
સ્વાનુભૂતિ પછીની યાત્રા (૨૫૦૧ માં) – એ બંને ખરેખર
યાદગાર છે.
અહો, ગિરનાર અને નેમિનાથ ભગવાન! તમે મારી
આત્મભાવનાનું સ્થાન છો. ગિરનારમાં નેમનાથ પ્રભુને યાદ કરીને
ઘણીવાર મેં તીવ્ર આત્મિક ભાવનાઓ ભાવી છે, આત્મકલ્યાણના
સુંદર ભાવો ત્યાં જગાડયા છે; એ સહેસાવન
! એ પરમ
વૈરાગ્યભૂમિ! એ પરમ જ્ઞાનભૂમિ! એ પરમ નિર્વાણભૂમિ! ત્યાં
જ્યારે જઈએ ત્યારે તો જાણે મુનિ ભગવંતોની સાથે જ રહેતો હોઉં,
મુનિ ભગવંતોની સાથે રહીને ચૈતન્યના રત્નત્રયની આરાધના હું
શીખતો હોઉં, – એવું જીવન ત્યાં હું ગાળતો હતો. અને આ
સ્વાનુભૂતિ – પ્રકાશની રચનાની પૂર્ણતાનો પ્રસંગ પણ કુદરત યોગે
ગિરનારમાં જ બન્યો છે. તે સ્વાનુભૂતિ – પ્રકાશનું હવે આ ૪૩ મું
પદ છે : –
(૪૩)
નેમિપ્રભુ વિરક્ત થયા સંસારથી,
દીધો અપૂર્વ ચૈતન્યનો સંદેશ જો;
હરિવંશમાં લીધો હરિએ મુજને,
અમે બંને સુરાષ્ટ્રના શણગાર જો.....
જાગીરે જાગી સ્વાનુભૂતિ મુજ આત્મની..