Samyak Darshan Part 7 8 (Gujarati).

< Previous Page   Next Page >


Page 197 of 237
PDF/HTML Page 210 of 250

 

background image
સમ્યગ્દર્શન )
( સ્વાનુભૂતિ-પ્રકાશ : ૧૯૭
એકલો આત્મા જ હું છું – એમ એકલા આત્મભાવનું ઘોલન,
એકલી આત્મઅનુભૂતિ તરફના પરિણામ ખૂબ – ખૂબ ઘૂંટાયા;
બસ
! એ ઘૂંટણનું જોર લઈને થોડા દિવસ પછી પાછા સોનગઢ
આવ્યા.....
– સોનગઢ આવ્યા.....ને અમુક અમુક એવા પરમ
વિરક્તિના, પરમ વૈરાગ્યના પ્રસંગ બન્યા, ગુરુદેવ સમક્ષ પૂ.
બેનશ્રી – બેનની પરિણતિ જોવા મળી; કર્મધારાથી ભિન્ન પરમ
શાંત જ્ઞાનધારા કેવું કામ કરતી હોય છે
! એકકોર કર્મધારા ને એ
જ વખતે એનાથી ભિન્ન ચૈતન્યપરિણતિ, એ બંનેનું અત્યંત જુદું
કામ કેવું છે
! – એ બધુંય મેં નજરે જોયું.....અને બસ! અષાડ
વદ સાતમે મને આ સ્વાનુભૂતિ પ્રગટી. – તેનું આ વર્ણન છે.
અહો, ગિરનાર પર્વતને દેખતાં પ્રદ્યુમ્નપ્રભુ અને નેમનાથ
પ્રભુ સાક્ષાત્ દેખાય છે; સ્વાનુભૂતિ પછી મેં બે વખત (વીર સં.
૨૪૯૯ અને ૨૫૦૧ માં) ગિરનાર યાત્રા કરી; તેમાં બીજીવાર
ગુરુદેવની સાથે ( – ધર્મચક્રના રથમાં બેસીને) ગિરનાર ગયેલ,
ત્યારે ત્યાં માનસ્તંભના પ્રતિષ્ઠા મહોત્સવમાં મેં ધર્મધ્વજનું
આરોહણ કર્યું. આ વખતે અત્યંત સાહસ કરીને ફરીને પ્રદ્યુમ્ન ટૂંક
(ચોથી ટૂંક) ઉપર ચડયા અને યાત્રા કરી આવ્યા. જેમ આત્માની
અનુભૂતિનો સાચો રસ્તો જોઈ લીધેલો તેમ આ વખતે ચોથી ટૂંકનો
પણ સાચો રસ્તો જોઈને તે રસ્તે અમે ગયા. જો કે યાત્રાનો પંથ
ચોથી ટૂંકે ચડવાનો ઘણો જ વિકટ છે, એકલા આત્માના અવલંબને
પોતે પોતાની શક્તિની તાકાત ઉપર આધાર રાખીને જ ત્યાં જઈ
શકાય છે; તેમ ચૈતન્યનો પંથ, ચૈતન્યની સ્વાનુભૂતિનો (ચોથા
ગુણસ્થાને ચડવાનો) પંથ પણ અંદરમાં એકદમ નિરાલંબી છે, તેના
ઉપર ચાલવું એ મહાન શૂરવીર આત્માર્થી પુરુષોનું કામ છે; પોતે