જાત રાગથી પણ જુદી છે. – આ રીતે વાણીથી તેમજ વિકલ્પોથી
પણ દૂર ઊંડે ઊંડે અંતરમાં ક્યાંય મારો ઉપયોગ પહોંચી રહ્યો છે
– અને આ જ રીતે આગળ વધીને વધુ ઊંડો ઊતરું તો ત્યાં જ
મારા ચૈતન્ય પ્રભુનો સાક્ષાત્કાર થશે.
જાય છે; હવે જોરપૂર્વક હું ખાન – પાન હરવું – ફરવું વગેરે
સર્વપ્રકારના રાગનો રસ તોડતો જાઉં છું. પ્રતિકૂળતાઓને ક્રોધ
વગર સહન કરું છું, અને વીર થઈને મારી સમસ્ત શક્તિને હું
આત્માની સાધનમાં લગાવી દઉં છું. દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ
હવે મારી સાધનાને અટકાવી શકે નહિ, કેમકે મારા ચૈતન્યપ્રભુ
પોતે જ હવે પ્રગટ થઈને શુદ્ધ આનંદપરિણતિરુપ થવા ચાહે છે.
અત્યાર સુધી પ્રભુ ઊંઘતા’તા, હવે તો જાગ્યા છે.....એવા જાગ્યા છે
કે મોહ – ચોરને ભગાડીને પોતાના સમ્યક્ત્વાદિ સર્વ નિધાનને
સંભાળી રહ્યા છે.....મને એ નિધાન દેખાડીને આપી રહ્યા છે.....કે
લે
નથી.....બસ, અંદર ને અંદર રહીને હું નિજનિધાનને ભોગવીશ.