આત્મહિત માટે કાઢી શકું છું. – તો તેમાં આત્મઅનુભવનું કામ
સૌથી પહેલાં કરીને, આત્મશાંતિ પ્રાપ્ત કરી લેવી – તે માટે હું ઘણી
જ સાવધાની રાખીશ. દુનિયાના કોઈ પણ કાર્ય ખાતર મારા આ
મહાન ઇષ્ટકાર્યને હું ગૌણ નહીં કરું; જીવનમાં સર્વત્ર ક્ષણે – ક્ષણે
ને પળે – પળે એની જ મુખ્યતા રાખીશ, અને એને જ હું મારું
જીવન સમજું છું. જો અત્યારે તેમાં પ્રમાદ કરીશ તો સંસારનાં ચાર
ગતિનાં ભયંકર દુઃખો – કે જેની યાદી પણ આંખમાંથી આંસુની
ધાર વહાવે છે – તેનાથી હું કેમ છૂટીશ
હવે મારા દેવ – ગુરુ જેવી શાંતિ ને શાંતિ જ જોઈએ.....તેની શીઘ્ર
પ્રાપ્તિ માટે અતિશય ચૈતન્યરસિક થઈને ફરી ફરીને હું વિશેષ
પ્રયોગ કરું છું. – આમ પોતાના આત્માને ઉત્સાહિત કરવો.
આવે છે અને તોપણ તને એમ નથી થતું કે ચાલો, ઉપયોગ અંદર
નથી જતો તો તેને બહારમાં ક્યાંક ભમાવું
તો ક્યાંય ગમતું નથી, ક્યાંય દિલ લાગતું નથી, એટલે ફરી ફરીને
વારંવાર એમ જ થયા કરે છે કે હું અંદર જાઉં – અંદર જાઉં
છે; – કેમકે બહારના બધા વિષયોથી પાર, જુદી જ જાતની કોઈ
અત્યંત સુંદર, એક અદ્ભુત વસ્તુ મારા અંતરમાં છે – તે મારા
લક્ષમાં આવી ગઈ છે. અંદર જતાં – જતાં મને કંઈક નવું જ
દેખાય છે, ને નવી જ જ્ઞાન – ઊર્મિઓ ઉલ્લસે છે, – જે મારા