Sattasvarup (Gujarati). Sixth Avrutti.

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 115

 

background image
છÕી આવૃત્તિ પ્રસંગે.....
આ ગ્રંથની પાંચમી આવૃત્તિ ખપી જવાથી આ છઠ્ઠી
આવૃત્તિ છપાવવામાં આવેલ છે.
મુદ્રણકાર્ય ‘કહાન મુદ્રણાલય’ના માલિક શ્રી જ્ઞાનચંદજી
જૈને કાળજીપૂર્વક સારું કરી આપેલ છે, તે બદલ ટ્રસ્ટ તેમનો
આભાર માને છે.
આ પુસ્તકના પઠન-પાઠનથી મુમુક્ષુ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન
પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ કરે એ જ ભાવના.
ભગવાન મહાવીર
નિર્વાણ કલ્યાણક
તા. ૧૭-૧૦-૨૦૦૯
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિ૦ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ-
[ ६ ]
પં. ભાગચંદ્રજી કૃત ‘સત્તાસ્વરૂપ’માં અર્હંતનું સ્વરૂપ જાણીને
ગૃહીત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે.
પરમાર્થતત્ત્વના વિરોધી એવાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક ન
માનવાં તે ગૃહીત મિથ્યાત્વ છે.
હું પરનો કર્તા છું, (કર્મથી) રોકાયેલો છું, પરથી જુદો
સ્વતંત્ર નથી, શુભરાગથી મને ગુણ થાય છે એવી જે ઊંધી
માન્યતા અનાદિથી છે; તે અગૃહીત મિથ્યાત્વ અથવા
નિશ્ચયમિથ્યાત્વ છે.
તે નિશ્ચયમિથ્યાત્વ ટાળવા પહેલાં, જે ગૃહીત મિથ્યાત્વ
અથવા વ્યવહારમિથ્યાત્વ છે તે ટાળવું જોઈએ.
પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી